ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીના ભાવ પર કોરોનાની અસર: નિકાસ બંધ થતાં ખેડુૂતો રોષે ભરાયા

ભાવનગર ડુંગળી પક્વવાનું પીઠું છે. ચોમાસામાં ઉત્પાદન ઘટતા ભાવ ખૂબ ઊંચા ગયા હતા. સરકારે ડુંગળીની આયાત કરતા ખેડૂતોને ભાવ મળ્યા નહીં. બીજી વખત રવિ પાકમાં મબલખ ઉત્પાદન થતા હવે કોરોના વાયરસની અસર ટ્રાન્સપોર્ટ પર થતા ખેડૂતની ડુંગળીની ખરીદી ઘટી છે અને ભાવ ઉતરી ગયા છે. હવે ખેડૂતોને સરકાર પાસે આશા છે કે, સરાકર આ મામલે યોગ્ય કરશે.

By

Published : Mar 19, 2020, 6:00 PM IST

ડુંગળીના ભાવ પર કોરોનાની અસર: નિકાસ બંધ થતાં ખેડુૂતો રોષે ભરાયા
ડુંગળીના ભાવ પર કોરોનાની અસર: નિકાસ બંધ થતાં ખેડુૂતો રોષે ભરાયા

ભાવનગરઃ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારી યોજનાનો ખાસ લાભ મળતો નથી. હાલમાં કોરોના વાઈરસની અસર એવી થઈ છે કે, સરકાર ટ્રાન્સપોર્ટ અને મુસાફરી ધીરે ધીરે બંધ કરાવાનો વારો આવ્યો છે, ત્યારે ડુંગળીની નિકાસ બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે.

ડુંગળીના ભાવ પર કોરોનાની અસર: નિકાસ બંધ થતાં ખેડુૂતો રોષે ભરાયા

ખેડૂતોનું કહેવું છે કે, હાલ પાક સારો થયો છે અને બજાર 400થી 500 રૂપિયા હતી. કરોનાના પગલે સરકારે નિકાસ બંધ કરતા તેની અસર ડુંગળીના ભાવ પર દેખાઈ રહી છે. ભાવ તૂટીને 150 થી 250 વચ્ચે આવી ગયા છે. ખેડૂતોની માગ છે કે, આ મામલે સરકાર યોગ્ય પગલા ભરે, જેથી ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ન આવે.

ABOUT THE AUTHOR

...view details