ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વરથી પાંચ હજાર ફૂડ પેકેટ કરાયા રવાના

ભરૂચઃ વડોદરા જિલ્લામાં આભ ફાટતા પૂરની પરિસ્થિતિ સર્જાય છે. હાલ વરસાદમાં રાહત જોવા મળી છે પરંતું કેટલાક નીચાણ વિસ્તારમાં પાણી યથાવત છે ત્યારે જિલ્લાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા સમાજ સેવકો દ્વારા પાંચ હજાર ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે.

By

Published : Aug 3, 2019, 6:26 AM IST

સ્પોટ ફોટો

વડોદરા શહેરમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે જેના પગલે રોજિંદી ચીજ વસ્તુઓ માટે લોકોએ હાલાકી ભેગાવવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર લોહાણા સમાજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાણીની બોટલ અને બિસ્કિટ અને થેપલાની કીટ તૈયાર કરવામાં આવી છે. આશરે પાંચ હજાર ફૂડ પેકેટ પૂરગ્રસ્તો માટે રવાના કરવામાં આવશે. અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં રહેતા સખાવતો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વડોદરાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વરથી પાંચ હજાર ફૂડ પેકેટ કરાયા રવાના

ABOUT THE AUTHOR

...view details