હિંમતનગરમાં 300 પોપટોને 1962 કરુણા એનિમલ અભિયાને નવજીવન આપ્યું
સાબરકાંઠા : શહેરના હિંંમતનગર રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવા તત્પર છે. સંવેદનશીલ સરકારે મુંગા-અબોલ જીવના આરોગ્યની માટે એક અનોખો નવતર અભિગમ એટલે કરૂણા અભિયાન શરુ કર્યુ છે.
આ અભિયાન ૧૦૮ ગરીબ દર્દીઓ માટે વરદાનરૂપ બની છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મુંગા પશુ-પક્ષીઓ માટે આશીવાર્દ સમાન નિવડી છે. 1962 એમ્બ્યુલન્સ વાન દ્રારા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવે છે.સાબરકાંઠા જિલ્લામાં પણ આ વાન દ્રારા ખુબ જ સરાહનીય કામ થઇ રહ્યું છે. જેમાં રસ્તા પર રખડતા ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે કોઇને વિચાર આવતો નથી. પરંતુ આપણી સરકારે આ અબુધ પશુઓ માટે વિચાર જ નહિ પરંતુ તેમની સારવારના નક્કર પગલા લેવા આ કરૂણા વાનની શરૂઆત કરી છે.
સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં 1496 જેટલા ફોન આવ્યા છે. જેમા અનેક રખડતા પશુ અને પક્ષીઓને બચાવાયા છે. પશુ ચિકિત્સક સંદિપભાઇના જણાવ્યા અનુસાર હિંમતનગરમાં ફુંકાયેલા ભારે પવન અને વિજળી પડવાથી બગીચામાં અંદાજે 300 પોપટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્રારા જિલ્લા પશુ ચિકિત્સાલય ખાતે લઈ પોપટોની સારવાર કરવામાં આવી હતી. ખાસ કરીને ઉતરાયણ વખતે ઘાયલ પક્ષીઓ માટે વરદાન સ્વરુપ છે.