ગુજરાત

gujarat

અંબાજીમાં કોમી એક્તા સાથે નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસ તંત્ર સજ્જ

બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી ખાતે જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. આ યાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવન બને તે માટે પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ યાત્રા કોમી એક્તા ભરી નીકળે તે માટે લઘુકતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા.

By

Published : Jul 2, 2019, 10:41 AM IST

Published : Jul 2, 2019, 10:41 AM IST

ambaji

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ 4 જુલાઈએ રથયાત્રા નિકળનારી છે, જેને લઈ અંબાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.

અંબાજીમાં કોમી એકતા સાથે નિકળશે જગન્નાથજીની રથયાત્રા

અંબાજીમાં અઢી કિલોમીટર જેટલી લાંબી નીકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના અગ્રણીયો સહીત લઘુમતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા અને આ રથયાત્રા કોમી એક્તા ભરી રીતે નીકળેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સૂચનો કરાયા હતા. જોકે અંબાજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી નગર પરિભ્રમણ કરી અઢી કિલોમીટનો રૂટ પૂર્ણ કરી પરત રાધાકૃષ્ણ મંદિરે પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details