ગુજરાત

gujarat

ETV Bharat / state

વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી

અરવલ્લી: જિલ્લામાં આઠ દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું. આ ચક્રવાતને કારણે ખેડૂતો અને ગામડાના લાકોને ભારે નુકશાન થયું હતું. આ વાવાઝોડાને લઈને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ગામડાઓમાં રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ત્રણ-ચાર દીવસમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. જોકે ખેતરોમાં હજુ પણ વીજળી પુન:સ્થાપિત કરવામાં આવી નથી.

By

Published : May 25, 2019, 5:12 PM IST

વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી

અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજના અંતરિયાળ ગામડાના ખેતરોમાં વીજળી ન હોવાના કારણે ગરીબ ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે. જેમાં મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વાવણી કરવામાં આવી હતી. પરંતુ આ મહેનત અને નાણાં વ્યર્થ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વીજળી વિના વાવાઝોડા અસરગ્રસ્ત ગામડાઓમાં સુકાઈ રહી છે ખેતી

ગામ લોકોની અનેક રજૂઆતો કરવા છતાં વીજ વિભાગની નબળી કામગીરી હોવાના કારણે હજુ સુધી પુરવઠા પુન:સ્થાપિત કરવામાં આવ્યા નથી. ત્યારે ગામ લોકો માગ કરી રહ્યાં છે કે, ખેતરોમાં સત્વરે વીજળી પુનઃસ્થાપિત કરી તેમને થયેલું નુકશાનનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details