ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં તિર-કામઠા બનાવી વિધાનસભાના ઘેરાવની તડામાર તૈયારીઓ

24 ફેબ્રુઆરીના રોજ મળનારા બજેટ સત્રના દિવસે ગુજરાતભરમાંથી હજારો આદિવાસીઓ એકઠા થઈને વિધાનસભાનો ઘેરાવ કરશે. જેમાં સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાદ્યો અને તીરકામઠાં સાથે જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. જેને લઇ અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના આદિવાસી સમાજના લોકોએ હક્ક માટે જોડાવવા તિર-કામઠા બનાવવા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.

By

Published : Feb 18, 2020, 5:32 PM IST

તિર-કામઠા બનાવી વિધાનસભાના ઘેરાવની તડામાર તૈયારીઓ
તિર-કામઠા બનાવી વિધાનસભાના ઘેરાવની તડામાર તૈયારીઓ

અરવલ્લી : આ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના આદિવાસી લોકો. જેઓ 24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજાનાર વિશાળ રેલીની તૈયારીના ભાગરૂપે તિર-કામઠા બનાવવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ૨૩ જાન્યુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો ધરણા પર બેઠા છે. જોકે આ આંદોલનને રાજ્ય સરકાર તરફથી સારો પ્રતિસાદ ન મળતા રાજ્યના આદિવાસી સમાજે વિધાનસભાનો ઘેરાવા કરવા આહવાન કર્યુ છે.

તિર-કામઠા બનાવી વિધાનસભાના ઘેરાવની તડામાર તૈયારીઓ

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી ગાંધીનગર ખાતે રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં ૨૦ હજારથી વધુ આદિવાસી સમાજના લોકો તિર-કામઠા, ઢોલ-નગારા અને આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત વાજિંત્રો સાથે જોડાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ આદિવાસી સમાજની વિવિધ સમિતિઓ દ્વારા બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details