- કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા
- ચાચા રમઝાનના રોઝા દરમિયાન સ્મશાન ગૃહમાં કર્તવ્ય નિભાવી રહ્યા છે
- અબ્દુલ રહેમાન ચાચાના પરિવારજનોએ તેમને હંમશા પ્રોત્સાહન આપ્યું
અરવલ્લી: મોડાસામાં કોરોના વાઇરસથી થયેલા દર્દીઓના મૃત્યુ બાદ અંતિમક્રિયા શહેરના સ્મશાન ગૃહમાં કરવામાં આવે છે. મહત્વ ની વાત એ છે કે, આ સ્મશાન ગૃહની જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોંટ્રાક્ટ એક મુસ્લિમ ચાચા નિભાવી રહ્યા છે. જેઓ કોરોના જેવી પરિસ્થિતિમાં રાત-દિવસ ગમે ત્યારે, આવીને અંતિમક્રિયા માટે લાકડા પુરા પાડે છે અને અગ્નિદાહ અપાય ત્યાં સુધી હાજર રહે છે.
આ પણ વાંચો:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ અને 94 મોત નોંધાયા
71 વર્ષની ઉમંરે પણ થાક્યા વગર કામ કરે છે ચાચા
વિશ્વમાં 1 વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોનાની મહામારીએ દુનિયાને હચમચાવી મુકી છે. ત્યારે, કોરોનાએ અસંખ્ય લોકોનો ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લામાં પણ કેટલાય દર્દીઓ આ મહામારીમાં કાળનો કોળીયો બન્યા છે. આવા કપરા સમયે જિલ્લાના મોડાસામાં આવેલ સ્મશાન ગૃહમાં અબ્દુલ રહેમાન ચાચા અવિરત સેવા આપી રહ્યા છે.છેલ્લા, 10 વર્ષથી અબ્દુલ રહેમાન ચાચા આ સ્મશાન ગૃહમાં જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાઓ જ્યારે, પણ ચાચાને બોલાવે ત્યારે 71 વર્ષની ઉમંરે પણ દિવસ કે રાત જોયા વિના સ્મશાનમાં હાજર થઇ લાક્ડા તેમજ અંતિમક્રિયામાં જોઇતી અન્ય વસ્તુઓ પુરી પાડે છે.