અનુસૂચિત જાતિના લગ્ન વરઘોડામાં થયેલી અથડામણમાં ઇજા પામેલા અશ્વનું મોત
મોડાસાઃ ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા સમયે સર્જાયેલા ઘર્ષણમાં ગંભીર રીતે ઘવાયેલા અશ્વનું આખરે મોત થયું છે. વરઘોડા સમયે પથ્થરમારો થયો હતો, જેમાં અશ્વને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. અશ્વને ગંભીર ઇજાઓમાં માથાના ભાગે ટાંકા પણ લેવાયા હતા. 13 દિવસથી મોત સામે ઝઝૂમ્યા બાદ 14માં દિવસે અશ્વનું મોત થતાં વરરાજા પક્ષ સહિત ઘોડાના માલિક ઘેરા શોકમાં ઘરકાવ થયા છે.
Horse
ખંભીસર વરઘોડામાં ઈજાગ્રસ્ત બનેલા અશ્વનું મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે અશ્વના મૃતદેહનું મોડાસા પશુ દવાખાને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. વરઘોડામાં ઘર્ષણ થયા પછી ટોળા સામે થયેલી ફરિયાદમાં પશુવધની વધુ એક કલમનો ઉમેરો કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.