ગુજરાત

gujarat

ETV Bharat / state

ચરસ જેવા નશીલા દ્રવ્યો સાથે અપક્ષ કાઉન્સીલર ઝડપાયો

આણંદઃ અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી ઉર્ફે મુન્નાભાઈના ઘરમાં પોલીસે દરોડા પાડી કેટલોક ચરસનો જથ્થો પકડ્યો હતો. તેમજ બાકીનો કેટલોક જથ્થો કાઉન્સીલર દ્વારા તળાવમા નાંખી દીધાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રાત્રીના અંધકારમાં બેટરીના પ્રકાશે જથ્થો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. 700થી 750 ગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો હોવાની ચર્ચા નગરમાં ચાલી રહી છે.

By

Published : Mar 27, 2019, 1:21 PM IST

ફાઈલ ફોટો

પ્રાપ્ત માહિતી પ્રમાણે, આણંદ SOG પોલીસે 26 માર્ચની સાંજે પેટલાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સીલરના ઘરમાંથી ચરસના જથ્થા સાથે તેને ઝડપી પાડતા પેટલાદ નગરમાં ભારે ચકચાર મચી હતી. પોલીસ દ્વારા અન્ય જથ્થો શોધી કાઢવાની દિશામાં તજવીજ હાથ ધરાઈ હતી. SOG પોલીસને માહિતી મળી હતી કે, પેટલાદના મલાવ ભાગોળ પાસે રહેતા અને અપક્ષ કાઉન્સીલર મુન્તજીમુદ્દીન કાઝી નશીલા દ્રવ્યનો મોટાપાયે વેપાર કરે છે. જેના આધારે SOG પોલીસે છાપો મારતાં મુન્તજીમુદ્દીન કાઝી ચરસના 700થી 750 ગ્રામ જેટલા જથ્થા સાથે ઝડપાયો હતો.

કેટલોક જથ્થો કાઉન્સીલર દ્વારા તળાવમા નાંખી દીધાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેને લઈને પોલીસ દ્વારા બેટરીના પ્રકાશે આ જથ્થાને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કાઉન્સીલર મુન્નાભાઈ ચરસના જથ્થા સાથે ઝડપાયા હોવાની વાત પેટલાદ નગરમાં ફેલાઈ જતાં નગરજનોના ટોળેટોળા પેટલાદ શહેર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મુન્તજીમુદ્દીન કાઝીની ઝીણવટભરી પુછપરછ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી મુન્નાભાઈ દ્વારા ચરસનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તેમના ઘરે મોટાપાયે ચરસનો જથ્થો હતો પરંતુ પોલીસની રેડ પડતાં જ કેટલોક જથ્થો તળાવમાં નાંખી દીધો હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે પોલીસની ચારેક ટીમો તપાસમાં હતી અને બીજા કોણ-કોણ સંડોવાયા છે તેને લઈને દરોડાઓ ચલાવાઈ રહ્યાં હતા.

સમગ્ર ઘટના અંગે SOG PI વી. કે. ગઢવીએ જણાવ્યું હતુ કે, હાલમાં સમગ્ર કામગીરી ચાલી રહી છે જેને લઈને હાલના તબક્કે કોઈપણ માહિતી આપી શકાય તેમ નથી. જો કે, તેમણેનશીલા દ્વવ્ય સાથે કાઉન્સીલર પકડાયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને સમગ્ર કાર્યવાહી પુરી ન થાય ત્યાં સુધી સંપૂર્ણ માહિતી આપી શકશે નહીં તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details