ગુજરાત

gujarat

આણંદમાં પત્નીના પ્રેમ સંબંધની શંકાનો ભોગ બની માસૂમ, પિતાએ 5 વર્ષની બાળકીની હત્યા કરી

By

Published : Jan 28, 2021, 9:41 AM IST

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા મુંજકુવા ગામમાં કાળજું કંપાવી દેતી ઘટના બની છે, જેમાં ભજનિક પિતાએ પોતાની 5 વર્ષની દીકરીની હત્યા કરી નાખી હતી. મુંજકુવા ગામમાં રહેતા શૈલેષ પઢિયારે 25 તારીખે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, તેની 5 વર્ષની પુત્રી ઘરની બહાર રમતી હતી ત્યારથી ગાયબ છે અને થોડે દૂર આવેલી નહેરની ઝાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હોવાની ફરિયાદ આપી હતી.

આણંદમાં પતિએ પત્નીના પ્રેમ પ્રકરણની શંકા રાખી પોતાની 5 વર્ષની બાળકીની હત્યા કરી
આણંદમાં પતિએ પત્નીના પ્રેમ પ્રકરણની શંકા રાખી પોતાની 5 વર્ષની બાળકીની હત્યા કરી

  • આણંદના આંકલાવમાં પિતાએ જ બાળકીની હત્યા કરી
  • પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા બાળકીની બલી ચઢાવી
  • આરોપી પિતાએ પોલીસમાં બાળકી ખોવાયાની ફરિયાદ નોંધાવી
  • પોલીસની ઉલટ તપાસમાં પિતાએ જ હત્યા કરી હોવાનું જણાયું

આણંદઃ આ અંગે પોલીસે ફરિયાદના આધારે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી હતી. આ અંગે મૃતક બાળકીનું પ્રાથમિક તાપસ કરતા બાળકીની હત્યા થઈ હોવાની શક્યતાના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં ફરિયાદી પિતાએ આપેલી માહિતીમાં પોલીસને શંકા જતા ઉલટ તાપસ ચાલુ કરી હતી. તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને આસપાસના રહીશોની પૂછપરછ કરતા શૈલેષ અને તેની પત્ની નેહા વચ્ચે ગૃહકલેશ હોવાની જાણકારી મળી હતી.

આણંદમાં પતિએ પત્નીના પ્રેમ પ્રકરણની શંકા રાખી પોતાની 5 વર્ષની બાળકીની હત્યા કરી

લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અનેક વાર ઝઘડા થતા હતા

પોલીસે નેહા અને શૈલેષ વચ્ચે અવારનવાર થતા ઝઘડા અંગે વિસ્તૃત માહિતી મેળવીને આરોપી શૈલેષની કડકાઈથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, લગ્ન બાદ પત્નીના પૂર્વ પ્રેમ પ્રકરણને લઈ અનેક વાર અમારો ઝઘડો થતો હતો. 25 જાન્યુઆરીએ પણ અમારો ઝઘડો થયો હતો. જોકે, પત્નીએ મને બાળકી અંગે મહેણુંમારતા મેં 5 વર્ષની બાળકીની હત્યા કરવાનો કારસો રચ્યો હતો.

આણંદમાં પતિએ પત્નીના પ્રેમ પ્રકરણની શંકા રાખી પોતાની 5 વર્ષની બાળકીની હત્યા કરી

આરોપીએ પોલીસને ખોટા માર્ગે દોર્યા

આ અંગે પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક આર. એલ. સોલંકીના જણાવ્યા પ્રમાણે, શૈલેષે પત્નીના અન્ય ઈસમ સાથે પ્રેમ પ્રકરણનો વહેમ રાખીને પોતાની બાળકી પૂર્વીને તેના ઘર પાસે આવેલી નહેરના રસ્તા પર પૂર્વીનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પોતાનું કારસ્તાન છુપાવવા ઘરે પહોંચી અજાણ બની પુત્રી ખોવાયાની તાપસ કરવામાં જોડાઈ ગયો હતો. આણંદના આંકલાવ પોલીસને ફરિયાદ આપી હત્યારા પિતાએ પોલીસને ખોટી માહિતી આપી ખોટા માર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. આમાં ફરિયાદી જ આરોપી સાબિત થતા ખૂબ મોટો ખુલાસો થયો હતો. પોલીસે હત્યારા પિતા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની ઉલટ તપાસમાં પિતાએ જ હત્યા કરી હોવાનું જણાયું

ABOUT THE AUTHOR

...view details