ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે પૂર્વ IPS રજનીશ રાય સામે લેવાતા પગલા પર સ્ટે આપ્યો

અમદાવાદઃ સસ્પેન્ડેડ પૂર્વ IPS અધિકારી રજનીશ રાયને અમદાવાદ IIMમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણુંક અને સ્વૈછિક રાજીનામા મુદે બુધવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી.ઠાકરની ખંડપીઠે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજનીશ રાયના રાજીનામા, ખાતાકીય તપાસ અને IIMમાં તેમની જોબ સામે CATમાં ઓરજીનલ પીટીશનની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ જ પ્રકાર એકશન ન લેવા સ્ટે આપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી અગામી 20મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

By

Published : Aug 14, 2019, 10:54 PM IST

હાઈકોર્ટે પૂર્વ IPS રજનીશ રાય સામે લેવાતા પગલા પર સ્ટે આપ્યો, ETV BHARAT

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનારા IPS અધિકારી રજનીશ રાયની સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી કરતી અરજી હવે CAT(સેન્ટ્રલ એડમિનિસ્ટ્રિટેવ ટ્રિબ્યુનલ)ના અમદાવાદ બેન્ચના સિંગલ જજ કરશે. અમદાવાદમાં ડિવીઝન બેંચ હાલ કાર્યરત ન હોવાથી આ અરજીની સુનાવણી પેન્ડિંગ હતી. જેને લઇને રજનીશ રાય તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિવીઝન બેન્ચ ન હોવાથી આ અરજી સિંગલ જજ સાંભળે પણ સામા પક્ષે કેન્દ્ર સરકારની રજૂઆત હતી કે રજનીશ રાયની અરજી પર ડિવીઝન બેન્ચ જ સુનાવણી હાથ ધરી શકે છે. સિંગલ જજને આ પ્રકારની અરજીની સુનાવણી હાથ ન ધરી શકે. જો કે રજનીશ રાયની માગણી ગ્રાહ્ય રાખી અરજીની સુનાવણી સિંગલ જજ સમક્ષ હાથ ધરાશે.

સસ્પેન્ડેડ પૂર્વ IPS રજનીશ રાયની IIMમાં આસિટન્ટ પ્રોફેસરની નિમણુંક સામે કેંન્દ્રિય માનવ સંશાધન મંત્રાલય દ્વારા બે-વાર વાંધા પત્ર લખવામાં આવ્યા હતા. જેમાં સસ્પેન્ડેડ અધિકારીને પ્રોફેસર તરીકે ન રાખવામાં આવે તેવી સરકાર તરફે રજુઆત કરવામાં આવી હતી. જેની સામે રજનીશ રાયના વકીલ રાહુલ શર્માએ વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2004 સોહરાબુદ્ધિન નકલી એન્કાઉન્ટર કેસમાં રજનીશ રાયે પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારા, તરૂણ બારોટ, અને એન.કે.અમીનની ધરપકડ કરી હતી..

રજનીશ રાય છેલ્લે આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલી CRPFની કાઉન્ટર ઇન્સર્જન્સી એન્ડ એન્ટિ ટેરરિઝમ સ્કૂલ(સી.આઈ.એ.ટી.)માં ઇન્સપેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. 23 ઓગસ્ટ, 2018ના રોજ રજનીશ રાયને 50 વર્ષ પૂર્ણ થતા તેમણે વી.આર.એસ. માટે અરજી કરી હતી. પરંતુ, ગૃહ વિભાગ તરફથી કોઈ જવાબ ન આવતા તેમણે રિમાઇન્ડર મોકલ્યા હતા. જેના જવાબમાં તેમને ફરજ પર તાત્કાલિક હાજર થવા જણાવવામાં આવ્યું હતું. તેમને વિજિલન્સ ક્લીઅરન્સ ન મળ્યું હોવાથી સરકારે તેમને નિવૃત્ત કરવાનો ઇન્કાર કર્યો છે. તેથી તેમણે સ્વૈચ્છિક રાજીનામાની માગમી સાથે CATની અમદાવાદ બેન્ચમાં અરજી કરી છે.

ABOUT THE AUTHOR

...view details