ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહની સામે લોકસભા ચૂંટણી લડવા શંકરસિંહ વાઘેલાનો ઈન્કાર

ન્યૂઝ ડેસ્ક: NCPમાં જોડાયેલા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે, પાર્ટી તરફથી તેમને આ અંગે પ્રસ્તાવ અને હિમાયત પણ કરવામાં આવી હતી.

By

Published : Mar 25, 2019, 1:23 PM IST

શંકરસિંહ વાઘેલા

આ અંગે NCP નેતા જયંત બોસ્કીએ ગાંધીનગરની બેઠક પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહની સામે શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવા માટે હિમાયત કરી હતી. પરંતુ શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરની બેઠક પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમની સામે NCP કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારવાની ગણતરી હતી, પરંતુ વાઘેલાએ તેના પર હાલ તુરંત ઠંડુ પાણી રેડી દીધું છે.


ABOUT THE AUTHOR

...view details