ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત , હત્યા અંગે હજૂ પણ રહસ્ય

અમદાવાદ : બનાસકાંઠાના કુંડા ગામમાં થોડા દિવસો પહેલા એક જ પરિવારના 4 સભ્યોની હત્યા અને 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. ઘાયલ કરશનભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

By

Published : Jun 25, 2019, 9:39 AM IST

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત

એક જ પરિવારના 4 સભ્યોની થયેલી સામુહિક હત્યા મામલે પોલોસે તપાસ શરૂ કરી હતી.ઘરના મોભી કરશનભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે લોકોના આક્ષેપ મુજબ પોલીસે પૈસાની લેતી-દેતીના મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘરમાં જ હત્યા બાદ કેટલાક નામ લખ્યા હતા. તે મામલે તપાસ કરતા કરશનભાઈ પર શંકા કરી હતી.

બનાસકાંઠામાં થયેલી સામુહિક હત્યામાં વધુ એકનું મોત

સમગ્ર મામલે કરશનભાઈના નિવેદનના આધારે જ આગળની તપાસ થાય તેવી શકયતા હતી. પરંતુ સિવિલમાં 3 દિવસની સારવાર બાદ કરશનભાઈનું મોત થયું હતું. જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ યોગ્ય તપાસની માંગણી કરી હતી.પરંતુ કરશનભાઈના મોત બાદ આ મામલો રહસ્ય છે.

ABOUT THE AUTHOR

...view details