ગુજરાત

gujarat

ETV Bharat / state

પર્યાવરણ દિવસ: શહેરમાં દોડશે ઇ-રિક્ષા(JET), સ્વચ્છાતા પર રખાશે નજરે

અમદાવાદ: બુધવારે પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલિયન ટ્રી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ માટે નોંધણી સમય 5 જૂ્નથી 15 જૂન નક્કી કરવામાં આવી છે. જ્યારે વૃક્ષારોપણ 20 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે.

By

Published : Jun 5, 2019, 8:48 PM IST

શહેરમાં દોડશે ઇ- રિક્ષા (JET)

2011 પછી પહેલીવાર આટલો મોટો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. દર વર્ષે અંદાજે એક લાખ વૃક્ષો વાવવામાં આવે છે, જેમાંથી 40 ટકા વૃક્ષો વધી જાય છે. જેના પરિણામે 0.03 ટકા જેટલું ગ્રીન કવર દર વર્ષે વધે છે. હાલમાં શહેરમાં 6.18 લાખ વૃક્ષો હોવાનો મ્યુનિસિપલનો દાવો છે અને ગ્રીન કવર 4.66 ટકા છે. 10 લાખ વૃક્ષો જે વાવવામાં આવશે. જેના કારણે આગામી ત્રણ વર્ષમાં શહેરનું ગ્રીન કવર 5 ટકા જેટલું વધશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

શહેરમાં દોડશે ઇ- રિક્ષા (JET)

શહેરમાં ગંદકી, દબાણ અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારને દંડવા તમામ 48 વોર્ડમાં ઇ-રિક્ષામાં મ્યુનિસિપલ અને પોલીસની સંયુક્ત ટીમ અભિયાન ચલાવી સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવશે. આ અભિયાનમાં સહકાર નહીં આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-રિક્ષાને લીલીઝંડી આપવામાં આવશે.

આ રિક્ષા વિશે જણાવી દઇએ કે, આ રિક્ષા બે તબક્કામાં ફરશે. જેમાં ઈ-રિક્ષામાં સોલીડ વેસ્ટ, એસ્ટેટ અને પોલીસ વિભાગના કર્મચારીઓ રહેશે. આ સંયુક્ત ટીમ તમામ 48 વોર્ડમાં સવારના 8થી બપોરના 12 અને સાંજના 4થી રાત્રે 8 વાગ્યા સુધી ફરશે.

જો જ્યાં ગંદગી નજરે પડેશે ત્યા જ સ્થળ પર જ દંડ વસૂલાવામાં આવશે. જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (JET) નિયમનો ભંગ કરનાર સામે સ્થળ ઉપર જ દંડ વસૂલશે. જો કોઇ દંડ ન આપે તો તેમને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details