ગુજરાત

gujarat

CNG Pumps Shut Down : ઇન્ડિયન ઓઇલ કંપનીએ તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ કર્યાં પમ્પમાલિકો કફોડી હાલતમાં

By

Published : Jan 28, 2023, 9:26 PM IST

ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ (Indian Oil Shut Down 35 CNG Pumps in Gujarat )કરાયાં છે. જેથી સીએનજી પમ્પોના માલિકોમાં ભારે નારાજગી વ્યાપી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA ) એ દાવો કર્યો છે કે કોઈ પણ જાતની આગોતરા નોટિસ મોકલ્યા વગર સીએનજી સ્ટેશનો બંધ કર્યા છે.

CNG Pumps Shut Down : ઇન્ડિયન ઓઇલ કંપનીએ તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ કર્યાં પમ્પમાલિકો કફોડી હાલતમાં
CNG Pumps Shut Down : ઇન્ડિયન ઓઇલ કંપનીએ તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ કર્યાં પમ્પમાલિકો કફોડી હાલતમાં

અમદાવાદ : ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ગુજરાતના 35 જેટલા પમ્પ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને સીએનજી પમ્પોના માલિકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહે છે. જો કે સીએનજીનું વેચાણ કરતા પમ્પોના માલિકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવશેે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA ) એ દાવો કર્યો છે કે ઇન્ડિયન ઓઇલ કંપનીએ તેમને કોઈ પણ જાતની આગોતરા નોટિસ મોકલ્યા વગર તેમના તમામ 35 જેટલા સીએનજી સ્ટેશનો બંધ કર્યા છે.

તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ : ગુજરાત ફેડરેશન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી આજથી અમલમાં આવે તે રીતે ગુજરાત રાજ્યના 35 સીએનજી પંપ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. જે લોકોએ સીએનજી પમ્પ બંધ કર્યા છે તે લોકોએ અગાઉથી કોઈ નોટિસ આપી કે જાણ કરેલી નથી.

આ પણ વાંચો સરકારની ચૂંટણીલક્ષી ભેટ, CNG અને PNGમાં 10 ટકા વેટ ઘટાડ્યો, LPGના બે સિલિન્ડર ફ્રી

સીધી ગેસકંપનીઓને ગઇ સૂચના : ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી જે તે ગેસ કંપની હતી જેવી કે ગુજરાત ગેસ, સાબરમતી ગેસ, અદાણી ગેસ આ બધી ગેસ કંપનીઓને સીધું જ લખવામાં આવ્યું હતું કે આ 35 સીએનજી પમ્પોનું સપ્લાય બંધ કરી દો અને આની જાણ ડીલરને પણ કરવામાં આવી નથી.

મહિને એક લાખનું વેચાણ :સીએનજીનું વેચાણ કરતા પમ્પોના માલિકો દ્વારા જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે અમને એવું જણાવેલ હતું કે તમારા પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલનું વેચાણ મહિને ₹1,00,000 થી ઓછું છે માટે અમે બંધ કરીએ છીએ. જો તમારે વેચાણ કરવું હોય તો હવે તમારે બેંક ગેરંટી આપવી પડશે.

10 વર્ષ પછી નિયમ બતાવ્યો :જ્યારે અમને સીએનજીની ડીલરશીપ આપવામાં આવી હતી ત્યારે અમને એવું કહેવામાં નહોતું આવ્યું કે તમારે 1,00,000 થી ઓછું વેચાણ હશે તો તમારે બેંક ગેરંટી આપવી પડશે. આજે ઘણા પંપને આઠથી દસ વર્ષ થઈ ગયા અને 10 વર્ષ પછી તેઓ એવું કહે છે કે તમારું વિતરણ લાખથી ઓછું છે એટલે તમારે બેંક ગેરંટી આપવી પડશે.

આ પણ વાંચો ભાવનગર આપશે સમગ્ર ભારતને ગેસ, 8 મિલિયન મેટ્રિક ટન ગેસનો સંગ્રહ થશે

અન્ય કંપનીઓએ આવું કર્યું નથી :મહત્વનું છે કે આ પગલું માત્ર ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જ ભરવામાં આવ્યું છે. જ્યારે બીજી ઓઇલ કંપની જેવી કે ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આવા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.

સંતોષકારક જવાબ મળતો નથી : અમે આઈઓસી કંપનીના અધિકારી સાથે વાત કરી પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અમે એવી પણ વિનંતી કરી કે તમારા આ કાયદાના કારણે ગુજરાતમાં ઘણા બધા સીએનજીના કસ્ટમરને તકલીફ પડશે માટે કસ્ટમરને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય બદલી તમામ સીએનજી પેટ્રોલ પંપ ચાલુ કરવા. પરંતુ તે લોકો અમારી વાત માનવા તૈયાર નથી.

ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી : જોકે આ સમગ્ર મામલે હવે ગુજરાત ફેડરેશન પેટ્રોલિયમ ડીલર ટૂંક સમયમાં આ બાબતે બેઠક કરશે. તેમ જ 30 જાન્યુઆરીના રોજ સરકાર અને ઓઇલ કંપનીમાં રજૂઆત પણ કરશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કહ્યું છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યના તમામ સીએનજી સ્ટેશનનો બંધ કરવાનો તેઓ નિર્ણય લેશે.

ABOUT THE AUTHOR

...view details