ગુજરાત

gujarat

કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકા કરતાં પણ ઓછો: વિજય નહેરા

AMC કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સારા સમાચાર છે કે એક્ટિવ કેસોનો ગ્રોથ 5 ટકાથી ઓછો થયો છે. પહેલાં 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા અને આજે 5 ટકાએ પહોંચી ગયો છે. નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું.

By

Published : May 5, 2020, 2:12 PM IST

Published : May 5, 2020, 2:12 PM IST

ETV Bharat / state

કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકા કરતાં પણ ઓછો: વિજય નહેરા

કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ  5 ટકા કરતાં પણ ઓછો:  વિજય નહેરા
કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકા કરતાં પણ ઓછો: વિજય નહેરા

અમદાવાદઃ AMC કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, એક્ટિવ કેસોમાં વધારો નિયંત્રિત રાખીએ તે આપણા માટે જરૂરી છે, જેથી જે સંક્રમિત લોકો છે તેને યોગ્ય સારવાર આપી શકાય. એક્ટિવ કેસોમાં 3101 આંકડો થયો છે. સારા સમાચાર એ છે કે એક્ટિવ કેસોનો ગ્રોથ 5 ટકાથી ઓછો થયો છે.પહેલા 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા થયું અને આજે તો રેકોર્ડ તોડીને 5 ટકાએ પહોંચી ગયું. તેમજ વિજય નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું. જો સાથે મળીને કામ કરશું તો મને વિશ્વાસ છે કે આપણે આ મહિનાના અંત સુધીમાં આ કામ કરી શકીશું અને કોરોનાને હરાવી શકીશું.

કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રોથ રેટ 5 ટકા કરતાં પણ ઓછો: વિજય નહેરા
બીજી એક સારી બાબત એ છે કે, અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાંથી કુલ 691 લોકોને રજા આપી ઘરે મોકલી દીધા છે. અત્યારે 3101 કેસ જે એક્ટિવ છે એ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. એ બધા જ કેસો પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. હાલમાં 10 લાખની વસ્તીએ આપણે 5344 ટેસ્ટ કરી રહ્યાં છીએ. તેમજ હજુ પણ આ આંકડો આગળ વધી રહ્યો છે.કોર્પોરેશન દ્વારા ફેરિયાઓનું સ્ક્રીનીંગ કરી કાર્ડ આપવામાં આવી રહ્યાં છે. કાર્ડ નહીં હોય એવા ફેરિયાઓ વ્યવસાય નહીં કરી શકે. સ્ક્રીનિંગ કાર્ડ મેળવવા માટે ફેરિયાઓએ દર 7 દિવસે સ્ક્રીનિંગ કરવાનું રહેશે. કોર્પોરેશન દ્વારા ફેરિયાઓનું સ્ક્રીનીંગ કરી કાર્ડ આપવામાં આવી રહ્યાં છે. 1437 ફેરિયાનું સ્ક્રીનિંગ થયું અને તેમાંથી 1409 લોકોને કાર્ડ આપવામાં આવ્યાં છે. અન્ય લોકોમાં કોરોનાના લક્ષણો દેખાતાં તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details