ગુજરાત

gujarat

By

Published : Aug 3, 2023, 7:48 PM IST

ETV Bharat / state

Conjunctivitis virus : ગુજરાતમાં રોજે 30000 સુધી કન્ઝકટીવાઇટીસના કેસ, નેત્ર રોગ તબીબોની શી છે સલાહ જૂઓ

હાલમાં આંખોને લગતા રોગમાં કન્ઝકટીવાઇટીસ નામનો વાયરસથી થતો રોગ લોકોને ભરડામાં લઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે આપેલા આંકડા પ્રમાણે રોજના 25થી 30 હજાર જેટલા કેસ આવી રહ્યાં છે. જોકે નેત્ર રોગ તબીબો આશ્વાસન આપે છે કે આ રોગ પાંચ દિવસમાં મટી જાય છે.

Conjunctivitis virus : ગુજરાતમાં રોજના 30000 સુધી કેસ, નેત્ર રોગ તબીબોની શી છે સલાહ જૂઓ
Conjunctivitis virus : ગુજરાતમાં રોજના 30000 સુધી કેસ, નેત્ર રોગ તબીબોની શી છે સલાહ જૂઓ

અમદાવાદ : સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના નાગરિકોમાં હાલ આંખ આવવાનો રોગ એટલે કે વાયરલ કન્ઝકટીવાઇટીસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.આંખોને ઝપટમાં લેતો આ રોગ વાઇરલ છે. સામાન્ય રીતે આ રોગથી સંક્રમિત દર્દીમાં ‘કન્ઝકટીવાઇટીસ વાઈરસ’ સંક્રમણ પાંચ દિવસમાં મટી જાય છે તેવો નેત્ર રોગ તબીબોનો અભિપ્રાય છે.

એન્ટ્રો વાઇરસ છે મુખ્ય કારણ :નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાઇ રહ્યો છે. આ સંદર્ભે એમ એન્ડ જે આઇ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી અમદાવાદ ખાતે કન્ઝકટીવાઇટીસ દર્દીઓની આંખમાથી લેવાયેલ નમૂનાની લેબોરેટરી પરિક્ષણમાં પણ આ વાઇરસની હાજરી જોવા મળી છે.

નિષ્ણાતોની સલાહ : આંખના રોગોના નિષ્ણાતોના અભિપ્રાય મુજબ વાઇરસના કારણે લાગતા ચેપની સારવારમાં એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સ જેવા કે Moxifloxacin Eye Drops,(મોક્સીફ્લોક્સાસીન આઇ ડ્રોપ) Gatifloxacin Eye Drops (ગેટીફ્લોક્સાસીન આઇ ટીપાં)અથવા Ciprofloxacin Eye Drops (સિપ્રોફ્લોક્સાસીન આઇ ટીપાં)ની જરૂરીયાત દરેક દર્દીને હોતી નથી.

એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સ ક્યારે લેવાય : ખાસ કિસ્સા જેવા કે સેકેન્ડરી બેકટેરીયલ ઇન્ફેકશન થવાના કારણે કીકીમાં રોગની અસર જણાય અને દ્રષ્ટિને નુકશાન થવાની સંભાવના હોય તેવા સંજોગોમાં તબીબોના અભિપ્રાય મુજબ આ એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સની સારવાર લેવાની થાય છે.

કન્ઝકટીવાઇટીસ કેસોનું પ્રમાણ :રાજ્યમાં હાલ આ વાઈરસના દૈનિક 25થી 30 હજાર કેસો જોવા મળે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્ઝકટીવાઇટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કન્ઝકટીવાઇટીસથી સાવચેતી : વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા. સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ભીડવાળી જગ્યાઓ જવાનું ટાળવુ જોઈએ. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચીપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ નાખવા નહીં.

દર્દીની વસ્તુઓ અલગ રાખવી :ડોક્ટરે લખી આપેલા ટીપાં દવા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા. પર્વારમાં જે દર્દીને કન્ઝકટીવાઇટીસની અસર થયી હોય, તેણે પોતાનો હાથ રુમાલ, નાહવાનો ટુવાલ, વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી. ઘરના અન્ય સભ્યો સાથે સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો તેમજ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.

  1. Infectious Diseases: ચોમાસામાં ઝડપથી વધી રહી છે આ ચેપી બીમારીઓ, જાણો તેનાથી બચવાના ઉપાય
  2. Viral Eye Problems: બદલાતા હવામાનને કારણે આંખના રોગો વધી રહ્યા છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય
  3. Eye Flu Symptoms : ચોમાસામાં આંખના ફ્લૂનું જોખમ વધે છે, જાણો તેના લક્ષણો અને ઉપાયો

ABOUT THE AUTHOR

...view details