અમદાવાદ : સારંગપુર વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા અને જે બાદ સંવિધાન બચાવો રેલીની શરૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા તથા અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતાં.
LRD મામલે કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
અનામત અને બિન અનામત આંદોલન વચ્ચે આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરવામાં આવ્યા હતા. જે બાદ કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજીને અમદાવાદના કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
LRD મામલે કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે રેલી યોજી આવેદન પાઠવ્યું
આ સંવિધાન બચાવવાની રેલીમાં દેશ બચાવો નારા તથા સંવિધાન બચાવોના નારા લગાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ કલેકટર કચેરીએ પહોંચીને તમામ આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.