ગુજરાત

gujarat

ETV Bharat / state

જસ્ટીસ અકીલ કુરૈશીની નિમણુંક મુદે કોલેજીયમે નિર્ણય લીધોઃ સુપ્રિમ કોર્ટ

અમદાવાદઃ મૂળ ગુજરાત હાઇકોર્ટના જજ અને અત્યારે બોમ્બે હાઇકોર્ટમાં નિયુક્ત જસ્ટિસ અકીલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા મુદે દાખલ કરાયેલી અરજી મુદે સોમવારે સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, જસ્ટીસ અકીલ કુરૈશીના મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક મુદે કોલેજીયમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગઈની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે આદેશ જણાવ્યું હતું કે, આ મુદે કોલેજીયમના આદેશને સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર અપ્લોડ કરવામાં આવશે.

By

Published : Sep 17, 2019, 4:51 AM IST

સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે અકીલ કુરૈશીની નિમણુંક મુદે કોલેજીયમની ભલામણ રજુ કરતો પત્ર કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 28મી ઓગસ્ટના રોજ સુપ્રિમ કોર્ટને આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના બાર એસ્સોશિયેશન દ્વારા જસ્ટીસ અકીલ કુરૈશીની નિમણુંકને લઈને દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે 10મી મે બાદ જુદા જુદા રાજ્યોની વિવિધ હાઈકોર્ટના 18 જેટલા જજની નિમણુંક કરાઈ પરતું જસ્ટીસ અકીલ કુરૈશીની નિમણુંક મુદે કોઈ નિર્ણય લેવાયો નથી.

અગાઉ આ મુદે કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરવાતી ડબલ બેન્ચ પાસે વધુ સમયની માંગ કરતા દલીલ કરી હતી કે સંસદનો સત્ર પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ મુદે નિર્ણય લઈ શકે છે. જ્યારબાદ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદે નિર્ણય લઈ કોર્ટ સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો હતો. ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસ્સોશિયેશન વતી વકીલ ફાલી નારીમને રજુઆત કરી હતી કે અકીલ કુરેશીની નિમણુંક પ્રક્રિયા કેન્દ્ર સરકારની ભમિકા વિશિષ્ટ સંવાદક તરીકેની છે. કેન્દ્ર સુપ્રિમ કોર્ટને જાણાવે કે આવેદનપત્રની પ્રક્રિયામાં ગુજરાત સરકારનો શુ અભિપ્રાય છે એ મહત્વનું સાબિત થશે.

ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ ઓસોસિએશને સુપ્રીમમાં કરેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટિસ અકીલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવાની ભલામણ દેશના કાયદા મંત્રાલયને કરવામાં આવી હતી. આ ભલામણ સાથે અન્ય હાઇકોર્ટના જજોેની નિયુક્તિ અંગે પણ ભલામણ કરવામાં આવી હતી. જસ્ટિસ કુરેશી અંગેની ભલામણ સિવાય તમામ ભલામણોને કાયદા વિભાગે મંજૂરી આપી છે પરંતુ જસ્ટિસ કુરેશીની નિયુક્તિમાં બિનજરૂરી વિલંબ થઇ રહ્યો છે. જસ્ટિસ અકીલ કુરેશી સ્વતંત્ર અને નિષ્પક્ષ વલણ માટે જાણીતા ન્યાયાધિશ છે.

ગુજરાત હાઇકોર્ટમાં પણ તેઓ પ્રશંસાપાત્ર જજ હતા અને મુંબઇ હાઇકોર્ટમાં પણ તેમને પ્રશંસા મળી રહી છે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમે તેમને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હોય ત્યારે તેમની સક્ષમતા અંગે ચર્ચા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આમ છતાં કેન્દ્રીય કાયદા મંત્રાલય મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂકમાં વિલંબ કરીને દેશના બંધારણના મૂળભૂત સિંદ્ધાંતોનો ભંગ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details