ગુજરાત

gujarat

By

Published : Oct 28, 2019, 12:47 PM IST

Updated : Oct 28, 2019, 3:23 PM IST

ETV Bharat / state

ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં નૂતન વર્ષ નિમિતે MLA અને ભાજપના કાર્યકર્તાઓને મળ્યા

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નવા વર્ષ નિમિતે ભાજપના નેતા, ધારાસભ્ય, હોદ્દેદારો ,પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને થલતેજ ખાતે આવેલા તેમના નિવાસસ્થાન કુસુમ વિલામાં મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમિત શાહ દિવાળી અને નવું વર્ષ તેમના પરિવાર સાથે અમદાવાદમાં મનાવતા હોય છે ત્યારે કાર્યકર્તાઓને પણ મળે છે.

Dcfv

ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને વહેલી સવારથી જ ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે એમના નિવાસસ્થાને દોડી આવ્યા હતા. ધારાસભ્ય હકુભા, નરહરિ અમીન, સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમને મળવા માટે આવ્યા હતા. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ અમિત શાહને મળવા માટે તેમના ઘરે પધાર્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં નૂતન વર્ષ નિમિતે MLA અને ભાજપના કાર્યકર્તાઓને મળ્યા
ઘરે આવેલા તમામ મહેમાનોનું અમિત શાહે ભાવભર્યું સ્વાગત કર્યું હતું. શાહ ઉષ્માભેર કાર્યકર્તાઓ અને અનેક લોકોને મળ્યા હતા અને કાર્યક્રમમાં આવનાર તમામ લોકો માટે ભોજનની વ્યસ્થા પણ કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અમિત શાહને મળવા માટે તેમના નિવાસસ્થાને જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ સી.એમ કાર્યાલયથી આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કે પુષ્ટિ કરવામાં આવી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સવારે કાર્યકર્તાઓને મળ્યા બાદ બપોર પછી અમિત શાહ પોતાના ઘર-પરિવાર સાથે નૂતન વર્ષની ઉજવણી કરશે. ત્યારબાદ મોડી રાત્રે દિલ્હી જવા માટે રવાના થઈ શકે એવી શક્યતા છે.

Last Updated : Oct 28, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details