RTE દ્વારા સરકાર ધોરણ ૧માં એડમિશન આપવામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ હવે અંતિમ સમયે શાળા સંચાલકો દ્વારા 1 વાલીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો અને એડમિશન ફોર્મ ન સ્વીકારતા હોવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે
RTE એક્ટ હેઠળ વિરોધ બાદ શાળાએ આપ્યા એડમિશન
અમદાવાદમાં અવેલ શાંતિ નિકેતન સ્કૂલમાં રીતે હેઠળ એડમિશન મળેલ બાળકોના ફોર્મ સ્વીકારવામાં ન આવતા વાલીઓ અને NSUI દ્વારા હલ્લો કરવામાં આવતા અબે વિરોધ કરવામાં આવતા આખરે શાળા દ્વારા એડમિશન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતાવાલીઓનો આરોપ છે કે શાળા દ્વારા ગત વર્ષે પણ એડમિશન આપવામાં આવ્યા નહોતા. સાથે સાથે ખોટા દસ્તાવેજો માંગી શાળા દ્વારા હેરાન કરવામાં આવે છે. રોજ ધક્કા ખવડાવવામાં આવે છે. એડમિશન ફોર્મ પર ચોકડી મારવામાં આવે છે અને શાળાની અંદર પ્રવેશ પણ આપવામાં આવતો નથીઆ અંગે શાળા સંચાલકો પ્રોસેસ ફોલોવ કરી એડમિશન આપવામાં આવશે એમ જણાવ્યું હતું. અને કોઈ ગેરરીતિ શાળામાં નહીં આચરવામાં આવે તેમ જણાવ્યું હતુંવાલીઓનો વિરોધ અને NSUI ના પ્રદર્શન બાદ ફોર્મ સ્વીકારી લેવામાં આવતા વાલીઓને હાશકારો મળ્યો હતો ત્યારે જો એડમિશન લેવામાં આટલી મુશ્કેલી છે તો એડમિશન બાદ જ્યારે શાળા શરૂ થશે ત્યારે RTE હેઠળ એડમિશન લેનાર બાળકોનું કેવું રહેશે ભણતર એ પણ સવાલ છે.