ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતી નદીમાંથી 5 જ દિવસમાં 500 ટન જેટલો કચરો મળ્યો

અમદાવાદ: સાબરમતી નદીના સફાઇના નવતર પ્રયોગમાં મોટી સંખ્યામાં જોડાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. 5 જૂનથી 9 જૂન દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

By

Published : Jun 10, 2019, 11:27 PM IST

ahd

આ કામગીરી અંતર્ગત 17 જેસીબી, 6 બકેટ, ટ્રક-ટ્રેક્ટર, 2000 હજાર નંગ તગારા, 1000 નંગ પાવડા, 500 જોડી હાથના મોજા અને 7000 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ જેવી સાધન-સામગ્રીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. જેમાં 43 ટન જેટલો કચરો નિકાલ કરવામાં આવ્યો છે. 5 દિવસના અભિયાનમાં 60,000 લોકોએ ભાગ લીધો હતો. હવે નદીમાં માત્ર ટ્રીપ પાણી છોડવામાં આવશે. જેના માટે 350 કરોડના ખર્ચે 6 નવા STPT પ્લાન્ટ બનાવવામાં આવશે. જેમાંથી 325 MLD પાણી છોડવામાં આવશે. આ કચરો વેબસાઇટ પર મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી મોટી સંખ્યામાં તેને અલગ કરીને ત્યાંથી કચરો પિરાણા ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં હવે મશીનરીથી સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છ સાબરમતી મહા અભિયાનના પગલે નાગરિકો દ્વારા નાખવામાં આવેલ પૂજા સામગ્રીનો સામાન, ચુંદડીઓ, કપડા, નાળિયેર વગેરે ઉપરાંત પાન મસાલાની પ્લાસ્ટિકની બોટલો વગેરે જેવો 500 ટન જેટલો કચરો એકત્ર કરી સાબરમતી નદીના શુદ્ધ કરવામાં આવેલ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details