ગુજરાત

gujarat

By

Published : Jul 9, 2020, 8:29 AM IST

ETV Bharat / sitara

નેપોટિઝ્મ મુદ્દે મહેશ ભટ્ટના બચાવમાં આવી સોની રાઝદાન, ટ્રોલર્સને આપ્યો જવાબ

અભિનેત્રી સોની રાઝદાન નેપોટિઝ્મના મુદ્દાને લઇને પોતાના પતિ મહેશ ભટ્ટનો સોશિયલ મીડિયાના માધ્યમથી બચાવ કરતી જોવા મળી હતી. જેમાં એક યુઝરે નેપોટિઝ્મ પર મહેશ ભટ્ટનો વિરોધ કર્યો હતો. જેના પર મહેશની પત્ની સોની રાઝદાન ગુસ્સે થઇ હતી. તેમજ તેણે યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો હતો.

નેપોટિજમના મુદ્દાને લઇને મહેશ ભટ્ટના બચાવમાં ઉતરી સોની રાજદાન
નેપોટિજમના મુદ્દાને લઇને મહેશ ભટ્ટના બચાવમાં ઉતરી સોની રાજદાન

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મના મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં ઘણા સેલેબ્રિટી નિશાને આવ્યાં છે. જેમાં એક યુઝરે સોશિયલ મીડિયા પર મહેશ ભટ્ટને નેપોટિઝ્મના વાહક જણાવી વિરોધ કર્યો હતો. જેથી મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાને ઉશ્કેરાઇને યુઝરને આડે હાથ લીધો હતો.

નેપોટિજમના મુદ્દાને લઇને મહેશ ભટ્ટના બચાવમાં ઉતરી સોની રાજદાન

સોનીએ અપૂર્વ અસરાની તથા મનોજ વાજપેઈની ટ્વીટ પર જવાબ આપ્યો હતો. સોનીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, અપૂર્વ મને સૌથી વધુ પરેશાન કરતી વસ્તુ હતાશા અને માનસિક બિમારી જેવા મુદ્દા છે. મુદ્દો એ છે કે, કોઇ વ્યકિતને હતાશ થવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી.

નેપોટિજમના મુદ્દાને લઇને મહેશ ભટ્ટના બચાવમાં ઉતરી સોની રાજદાન

સોનીના આ ટ્વીટ પર એક યુઝર્સ લખ્યું કે, 'અસલ મુદ્દો નેપોટિઝ્મનો છે અને તમારો કહેવાતો પતિ આનો વાહક છે. આ કોમેન્ટ પર સોનીએ લખ્યું કે, તમારી જાણકારી ખોટી છે. મારા પતિએ ઇન્ડસ્ટ્રીમાં બીજા કોઈપણ કરતા નવા આવનારાઓને વધુ તકો આપી છે. મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો, ત્યારબાદ મહેશ ભટ્ટને દોષી ઠેરવવામાં આવ્યો કે, તેઓ નવા સ્ટાર્સ સાથે કામ નહીં કરતા. તો કૃપા કરીને પહેલા તમારું ગૃહકાર્ય યોગ્ય રીતે કરો અને પછી વાત કરો.

ABOUT THE AUTHOR

...view details