ગુજરાત

gujarat

સુશાંત સિંહ કેસમાં તપાસ મામલે પોલીસ અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા

By

Published : Aug 2, 2020, 9:47 PM IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં તપાસ કરવા ભારતીય પોલીસ સેવાના સિનિયર અધિકારી વિનય તિવારીને પટનાથી મુંબઇ મોકલવામાં આવ્યા હતા.

સુશાંત સિંહ કેસ તપાસ મામલે પોલીસ અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા
સુશાંત સિંહ કેસ તપાસ મામલે પોલીસ અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા

પટના: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત પટનામાં જે FIR દાખલ કરવામાં આવી હતી. તેના પર તપાસ કરવા માટે મુંબઈ ગયેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસે સહયોગ આપ્યો ન હતો. તે આરોપ વચ્ચે રવિવારના રોજ બિહાર પોલીસ મુખ્યાલયએ એક મોટો નિર્ણય લીધો હતો.

તપાસ વધારવા માટે ભારતીય પોલીસ સેવાના સિનિયર અધિકારી વિનય તિવારીને પટનાથી રવિવારે મુંબઇ મોકલવામાં આવ્યા હતા.

બિહાર પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડેએ રવિવારના રોજ જણાવ્યું કે, પટના નગર પોલીસ અધિક્ષક વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા છે. હાલ તો એક જ વ્યક્તિને મોકલવામાં આવ્યા છે જો જરૂર જણાશે તો અન્ય અધિકારીઓને પણ મોકલવામાં આવશે.

શનિવારના રોજ પોલીસ મહાનિર્દેશક પાંડેએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સુશાંત કેસને લઇ બિહાર પોલીસ સત્ય સાબિત કરશે.

ABOUT THE AUTHOR

...view details