ગુજરાત

gujarat

By

Published : Aug 25, 2021, 12:11 PM IST

ETV Bharat / international

કેટલાય આંતકવાદી કાબુલથી એરલિફ્ટ કરવામાં આવ્યા હશે : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અનુગામી જો બિડેનને તેમની અફઘાન નીતિ પર નિંદા કરી છે અને આશંકા વ્યક્ત કરી છે કે હજારો આતંકવાદીઓને ખાલી કરાવવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે અફઘાનિસ્તાનમાંથી બહાર કાવામાં આવ્યા હશે.

usa
કેટલાય આંતકવાદી કાબુલથી એરલિફ્ટ કરવામાં આવ્યા હશે : ડોનાલ્ડ ટ્રમ્પ

  • ડોનાલ્ડ ટ્રમ્પે કરી જો બાઈડેનની નિંદા
  • બાઈડેનની નિકાસી પ્રક્રિયા પર ઉઠાવ્યો વાંધો
  • કેટલાય આંતકવાદીઓ આવ્યા હશે અમેરીકા

વોશ્ગિંટન: અફઘાન નીતિયોને લઈને અમેરીકી રાષ્ટ્રપતિ પર શરૂથી જ હુમલો કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એકવાર ફરી હુમલો કર્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે અને બની શકે છે કે, નિકાસી પ્રક્રિયાના રૂપમાં કાબુલમાં હજારો આંતકવાદી એરલિફ્ટ કરવામાં આવ્યા હશે અન કેટલાય દેશની બહાર નિકળી ગયા હશે. ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે," જો બાઈડેનએ અફઘાનિસ્તાનને આંતકવાદીઓના હવાલે કરી દીધુ અને આપણા નાગરિકોની સામે સેનાની હટાવીને હજારો અમેરીકીઓને મરવા છોડી દીધા છે".

માત્ર 4,000 અમેરીકી નાગરીક

ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે," હવે અમને એ જાણકારી મળી રહી છે કે, અફઘાનિસ્તાનમાંથી 26,000 લોકોના કાઢવામાં આવ્યા છે તેમાંથી માત્ર 4,000 અમેરીકીઓ છે". પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે," આપણે ખાલી કલ્પના કરી શકીએ છે કે અફઘાનિસ્તાન થી આખી દુનિયામાં કેટલાય આંતકવાદીઓ એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલી ભયનાક નિષ્ફળતા છે. આ વિશે કોઈ તપાસ નથી." તેમણે સવાલ કરતા કહ્યું કે," જો બાઈડેન અમેરીકામાં કેટલા આંતકવાદી લાવવામાં આવ્યા, આપણને ખબર નથી"

આ પણ વાંચો : દહેરાદૂનમાં વાદળ ફાટ્યું, ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા

આધુનિક ઈતિહાસમાં આ સૌથી ખરાબ વિદેશ નીતિ

આ વચ્ચે અફઘાનિસ્તાનમાં યુદ્ધમાં એક અનુભવી રિપબ્લિકન કોંગ્રેસી માઈક વાલ્ટઝએ પ્રતિનિધીસભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં તાલિબાનના હમલાની ગતિ અને પ્રકૃતિના વિશે સેન્ય અને ખુફિયા સલાહકારોની સલાહ પર ધ્યાન ન આપવા માટે જો બાઈડનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે," રાષ્ટ્રપતિ બાઈડનએ વૈશ્વિક મંચ પર સંયુક્ત રાજ્ય અમેરીકાને શર્મશાર કર્યું છે અને આપણા આધુનિક ઈતિહાસમાં આ સૌથી ખરાબ વિદેશ નીતિ રહી છે.

આ પણ વાંચો :પેગાસસ વિવાદ કેસની આજે સુનાવણી, કેન્દ્ર અને બંગાળ સરકાર નોટિસનો આપશે જવાબ

ABOUT THE AUTHOR

...view details