ગુજરાત

gujarat

By

Published : Jun 17, 2023, 5:32 PM IST

ETV Bharat / entertainment

Adipurush: મનોજ મુન્તાશીરે કહ્યું- ફિલ્મ જુઓ કે ન જુઓ, પરંતુ અફવાઓ ન ફેલાવો

હાલમાં જ રીલિઝ થયેલી 'આદિપુરુષ'માં બોલાયેલા ડાયલોગ્સ પર વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ફિલ્મમાં હનુમાનના પાત્ર દ્વારા બોલવામાં આવેલા ડાયલોગ્સની ઘણી ટીકા થઈ રહી છે. જેના પર 'આદિપુરુષ'ના સંવાદ લેખકે આગળ આવીને પોતાની સ્પષ્ટતા આપી છે.

મનોજ મુન્તાશીરે કહ્યું- ફિલ્મ જુઓ કે ન જુઓ, પરંતુ અફવાઓ ન ફેલાવો
મનોજ મુન્તાશીરે કહ્યું- ફિલ્મ જુઓ કે ન જુઓ, પરંતુ અફવાઓ ન ફેલાવો

નવી દિલ્હીઃમનોજ મુન્તાશીરે 'આદિપુરુષ'માં 'હનુમાન'ના ડાયલોગને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાનો ખુલાસો કર્યો છે. કહ્યું છે કે, ''ફિલ્મના ડાયલોગ પર ફેલાઈ રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.'' મનોજ મુન્તાશીરે જણાવ્યું છે કે, ''આ ફિલ્મ માત્ર મનોરંજન અને યુવા પેઢીને જોડવાના હેતુથી આવા સંવાદો સાથે બનાવવામાં આવી છે, જેથી આજની પેઢીના લોકો તેને પોતાની શરતો પર જોઈ અને સમજી શકે. તેમનો ઉદ્દેશ્ય ધાર્મિક ફિલ્મ બનાવવાનો કે સંપૂર્ણ રામાયણ બનાવવાનો નહોતો. રામાયણના માત્ર એક એપિસોડ પર જ લોકોનું મનોરંજન કરવાનું હતું.''

આદિપુરુષ સંવાદ વિવાદ: ટીવી ચેનલને જવાબ આપતાં મનોજ મુન્તાશીરે જણાવ્યું છે કે, ''તેણે આવો સંવાદ જાણી જોઈને લખ્યો છે અને તે એક વિભાગને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે, જેથી તે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.'' તે પોતાની વાતના સમર્થનમાં અનેક દલીલો પણ આપી રહ્યા છે. મનોજ મુન્તાશીરે સ્પષ્ટતા કરી હતી કે, ''ફિલ્મમાં હનુમાનના પાત્ર સિવાય ભગવાન રામ અને સીતાના સંવાદો પર કેમ ચર્ચા નથી થઈ રહી, જે એક ખાસ પ્રકારનો સંદેશ આપવા જઈ રહ્યા છે. માત્ર હનુમાનજીના સંવાદો જ કેમ બોલાય છે.'' વધુમાં વાત કરતા તેણે કહ્યું કે, ''ફિલ્મના ડાયલોગ્સ લખવા ઉપરાંત મેં ગીતો પણ લખ્યા છે. જે ખૂબ જ સારી છે પરંતુ તેમના વિશે કોઈ વાત કરતું નથી રહ્યા.''

મનોજ મુન્તાશીરનું નિવેદન: મનોજ મુન્તાશીરે સ્પષ્ટ કર્યું છે કે, ''ફિલ્મમાં અનેક પ્રકારના પાત્રો હોય છે અને દરેક પાત્ર માત્ર એક ભાષામાં બોલી શકતું નથી. લેખક તરીકે પોતાની સ્વતંત્રતા લઈને તેણે આ સંવાદો લખ્યા છે.'' મનોજ મુન્તાશીરે સ્પષ્ટ કર્યું કે, ''લંકા લગા દેના' એક રૂઢિપ્રયોગ છે અને તે અસભ્ય કે, અસંસદીય નથી.'' મનોજ મુન્તાશીરે વિરોધ કરી રહેલા અને સવાલો ઉઠાવતા લોકોને કહ્યું કે, ''આદિપુરુષ' ફિલ્મ જોવી કે નહીં તે સંપૂર્ણપણે તમારી પસંદગી હોઈ શકે છે. જો તમે જોઈ રહ્યા હોવ તો તમારી જાતે જ માહિતીનો ન્યાય કરો અને અફવાઓનો શિકાર ન બનો.''

ફિલ્મ દર્શકોમાં જોઈ: મનોજ મુન્તાશીરે કહ્યું કે, ''તેણે પોતે આ ફિલ્મ દર્શકોમાં જોઈ છે. તેને ખ્યાલ આવ્યો કે દર્શકો કેવી રીતે ફિલ્મનું મનોરંજન માણી રહ્યા છે.'' માસ્ક પહેરીને, તેણે મૂવી થિયેટરમાં સામાન્ય લોકોની વચ્ચે બેસીને સામાન્ય લોકોની જેમ ફિલ્મ જોઈ અને સમજાયું કે, લોકો તેને પસંદ કરી રહ્યા છે. અમુક લોકો જાણીજોઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેમને નિશાન બનાવી શકાય.

  1. Sunny Deol Mehndi: સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ, લોકોએ કરી પ્રસંશા
  2. Saif Ali Khan: સૈફ અલી ખાન તેમના પુત્રો સાથે 'આદિપુરુષ' સ્ક્રિનિંગમાં હાજરી આપી, વીડિયો વાયરલ
  3. Ameesha Patel: ગદરની સકીના પડદામાં કોર્ટ પહોંચી, અઢી કરોડની છેતરપિંડીનો આરોપ

ABOUT THE AUTHOR

...view details