ગુજરાત

gujarat

ETV Bharat / elections

રાહુલ અને પ્રિયંકાનું થશે ગુજરાતમાં આગમન, સૌરાષ્ટ્રથી કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાતમાં આગામી 23મી તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેને ધ્યાનમાં લઇને બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. બંને પક્ષે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે.

By

Published : Apr 8, 2019, 7:17 PM IST

અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ

ત્યારે આગામી 15મી એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જનસભાનું સંબોધન કરી ગુજરાતમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ

આ સંદર્ભે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. રાહુલ ગાંધીના પ્રોગ્રામનું આયોજન પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 15મી એપ્રિલના રોજ બપોર બાદના સમયે રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર ખાતે જનસભાનું સંબોધિન કરશે.

રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તો આ સાથે જ પ્રિયંકા ગાંધી પણ આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.

ABOUT THE AUTHOR

...view details