ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2021, 10:27 PM IST

ETV Bharat / city

છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે

છત્તીસગઢ બીઝાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 વીર સપૂતો શહીદ થયા છે, ત્યારે સુરતની મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આ શહીદ થયેલા જવાનોના પરિવારોને રૂપિયા 2,50,000ની શૌર્યરાશી અર્પણ કરવામાં આવશે.

છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે
છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે

  • છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 22 વીર સપૂતો થયા હતા શહીદ
  • શહીદ થયેલા જવાનોના પરિવારોને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ
  • મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શૌર્ય રાશી અર્પણ કરવામાં આવશે

સુરતઃ છત્તીસગઢમાં 22 જવાનો શહીદ થયા છે. ત્યારે આ શહીદ જવાનોના પરિવારને મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા રાશી અર્પણ કરાઈ છે. રાજ્યનું સુરત એટલે કર્ણની ભૂમિ, દાતાઓની દાતારી જે અહીં જોવા મળે છે, એવી દાતારી દેશનાં અન્ય મેટ્રો, આધુનિક, ધનાઢ્ય શહેરોમાં પણ જોવા નથી મળતી. ત્યારે મારુતિ વીર જવાન ટ્રસ્ટ એ વીર શહીદો માટે અર્પિત, તર્પિત અને સમર્પિત છે. બે વર્ષ પહેલા આ સંસ્થા દ્વારા શહીદોને સલામ કાર્યક્રમમાં 122 શહીદ પરિવારોને રૂપિયા 2.5 લાખની શોર્ય રાશિ પ્રદાન કરવામાં આવી હતી.

છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ, 31 ઇજાગ્રસ્ત અને 21 લાપતા

છત્તીસગઢના બીઝાપુરમાં નક્સલીઓએ કર્યો હતો હુમલો

મારુતિ વિર જવાન ટ્રસ્ટ દ્વારા ત્યારબાદ બીજા 129 શહીદ પરિવારને પણ આ સંસ્થા દ્વારા રૂપિયા 2.5 લાખની શૌર્ય રાશી અર્પણ કરાશે, તાજેતરમાં છત્તીસગઢ બીઝાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 વીર સપૂતો શહીદ થયા છે, જેનું સંસ્થાએ અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને આ 22 વીર સપૂતનાં પ્રત્યેક પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે, એવી જાહેરાત મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃછત્તીસગઢ એટેક: સુરક્ષા દળો પર 400 નક્સલવાદીઓએ કર્યો હતો હુમલો

ABOUT THE AUTHOR

...view details