ગુજરાત

gujarat

By

Published : Nov 12, 2020, 2:45 AM IST

ETV Bharat / city

રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા ફટાકડા વહેંચાણ માટે 83 NOC મંજૂર કરાઈ

રાજકોટઃ દિવાળીના પર્વ નિમિત્તે રાજકોટમાં વિવિધ જગ્યાએ ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે, પરંતુ આ અંગે ઈટીવી ભારત દ્વારા ફાયર વિભાગની મુલાકાત કરીને ખરેખરમાં કેટલાં NOC ફટાકડા વહેંચાણની પરવાનગી આપવામાં આવી છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે, અત્યાર સુધીમા 83 જેટલા સ્ટોલ ધારકોની NOC ચેકિંગ કર્યા બાદ મંજૂર કરવામાં આવી છે.

રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા ફટાકડા વહેંચાણ માટે 83 NOC મંજૂર કરાઈ
રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા ફટાકડા વહેંચાણ માટે 83 NOC મંજૂર કરાઈ

  • ફટાકટા વહેંચવા NOC માટે 152 જેટલી અરજીઓ આવી
  • 152 અરજીમાંથી ફાયર વિભાગે 83ને આપી મંજૂર
  • બીજી અરજીની તપાસ શરૂ
    રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા ફટાકડા વહેંચાણ માટે 83 NOC મંજૂર કરાઈ

રાજકોટઃ દિવાળી પર્વ નિમિત્તે રાજકોટમાં કેટલા ફટાકડા સ્ટોલ ધારકો દ્વારા NOC માટે અરજી કરવામાં આવી છે, તે અંગે રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 152 જેટલી અરજીઓ ફટાકડા વહેંચાણ માટે આવી છે. જેમાંથી 83 જેટલી અરજીઓ ઘટના સ્થળની મુલાકાત લઈને તમામ નીતિ નિયમો ચકાસીને મંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય અરજીઓ માટેની ઘટના સ્થળની તપાસની કામગીરી હાલ શરૂ છે. જો અહીં પણ બધું બરાબર હશે તો તેમને પણ મંજૂરી આપવામાં આવશે.

ફાયર વિભાગ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે NOC

જ્યારે કોઈ દુકાનદારે ફટાકડા વહેંચવા હોય તો પ્રથમ પોલીસ પાસે તેના વહેંચાણના લાયસન્સની મંજૂરી લેવી પડે છે. ત્યાર બાદ જો ફટાકડાનો સ્ટોલ નાખવો હોય તો જેતે મનપાની એસ્ટેટ શાખામાં અરજી કરવી પડે છે એ બન્ને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NOC માટે જે તે ફાયર વિભાગમાં અરજી કરવી પડે છે અને ફાયરવિભાગ દ્વારા ફટાકડા સ્ટોલની વિઝીટ કરી ફાયર સેફ્ટી સહિતના સાધનો અને નીતિ નિયમો મુજબો સ્ટોલ હોય તો જ NOC આપવામાં આવે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details