ગુજરાત

gujarat

બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર

By

Published : May 20, 2022, 4:19 PM IST

ગોંડલમાં એક બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની (Girl became a victim of superstition ) જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. 2 માસની બાળકી (stigma to 2 month old girl in Gondal ) ભૂવા પાસે કેમ લઇ જવાઇ અને વિજ્ઞાન જાથાએ શી માગણી કરી તે જાણો આ અહેવાલમાં.

બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર
બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર

રાજકોટ: અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે (Girl became a victim of superstition )આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલના ગુંદાળા ચોકડી પાસે રહેતાંં અને મૂળ MPમાં રહેતા અને ગોંડલમાં મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને (stigma to 2 month old girl in Gondal ) દવાને બદલે ડામ દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણકારી મળતાં રાજકોટની વિજ્ઞાન જાથાની ટીમે (Demand Of Rajkot Vigyan Jatha) ભૂવા સામે પગલાં લેવા માગણી કરી છે.

ભૂવા દ્વારા બાળકીના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપવામાં આવતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે

તાવ ન મટતાં ભૂવા પાસે લઇ ગયાં - ગોંડલની ગુંદાળા ચોકડી નજીક રહેતા શ્રમિક પરિવારે બે માસની માસૂમ દીકરીને(stigma to 2 month old girl in Gondal ) ડામ અપાવ્યાની ઘટનામાં માસૂમ બાળકીને તાવ અને આંચકી નહીં મટતા ભૂવાની પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ભૂવા દ્વારા બાળકીના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપવામાં આવતા હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સમગ્ર મામલાની જાણ થતાં વિજ્ઞાન જાથાની ટીમ ચિલ્ડ્રન હૉસ્પિટલ ખાતે પહોંચી હતી. ભૂવા સામે ગુનો નોંધવાની માગ જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કરી છે.

આ પણ વાંચોઃ જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો: વિજ્ઞાન જાથા

ડામ દેવાયેલી સ્થિતિમાં હોસ્પિટલમાં લવાતાં મામલો બહાર આવ્યો- અંધશ્રદ્ધાનાં (Girl became a victim of superstition )આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલી કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી (stigma to 2 month old girl in Gondal ) હાલતમાં ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરની એક ખાનગી હૉસ્પિટલ અને સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને અહીં ખસેડવામાં આવી હતી. જ્યાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

2 માસની બાળકી

આ પણ વાંચોઃ શ્રદ્ધાઃ કે અંધશ્રદ્ધા : લોકો જીવ જોખમમાં મૂકીને આ રીતે કરે છે માનતા પૂરી...

બાળકોને સાજા કરવા અંધશ્રદ્ધાનો સહારો?- નોંધનીય છે કે આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. આજે પણ ઘણાં લોકો ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રાચે છે. પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ માબાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે, જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details