ગુજરાત

gujarat

જૂનાગઢમાં વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરાઈ

જૂનાગઢઃ જિલ્લામાં વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વૃદ્ધમાં પડેલી અપાર શક્તિઓ ઉજાગર થાય અને યુવા પેઢીને એક સારો સંદેશો મળે તેમજ વૃદ્ધો જીવનની ઢળતી સંધ્યાના સમયે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જૂનાગઢના વૃદ્ધોએ પણ વિવિધ સ્પર્ધાઓ રમીને આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

By

Published : Oct 1, 2019, 8:29 PM IST

Published : Oct 1, 2019, 8:29 PM IST

વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી

દુનિયાભરના વૃધ્ધો એકઠા થઈને તેમને મનગમતી પ્રવૃતિઓ કરીને આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. વન વટાવી ચૂકેલા લોકો જીવનમાં શું ન કરી શકે તેમજ વૃદ્ધાવસ્થા સુધી પહોંચેલા વ્યક્તિમાં જે ક્ષમતાઓ પડેલી છે તે ક્ષમતાઓનો પરિચય આવનારી નવી પેઢીમાં થાય અને નવી પેઢી સદગુણોનું સિંચન કરીને સ્વસ્થ સમાજની રચના કરવા માટે પ્રેરાય તે માટે આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વૃદ્ધો કોઇ એક સ્થળે એકઠા થઈને તેમને મનગમતી પ્રવૃતિઓમાં લીન થઈને વૃદ્ધ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી

જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા અપના ઘરના વૃદ્ધોએ પણ વૃદ્ધ દિવસની ઉજવણી કરી હતી અને આ દિવસે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. જેમાં મહિલા અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંગીત ખુરશી અને મનોરંજન પૂરી પાડતી રમતો રમાડવામાં આવી હતી, જેમાં વૃદ્ધ મહિલા અને પુરુષોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લઇને સ્પર્ધાને વધુ રોચક બનાવી હતી. સામાન્યરીતે વૃદ્ધાવસ્થાને બચપણ સાથે પણ જોડવામાં આવે છે. આ અવસ્થાને બે અવસ્થાના મિલન સમાન પણ ગણવામાં આવે છે. વન વટાવી ચૂકેલા વૃદ્ધો બાળકોની માફક ખિલખિલાટ હસતા કે બાળકો જેવું વર્તન કરીને જીવનના અંતિમ પડાવ જેવા સમયમાં અન્ય પર બોજ બનવાની જગ્યાએ આવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને પોતાનો સમય પસાર કરે છે.

આજના દિવસની ઉજવણી વૃદ્ધોમાં માનસિક અને શારીરિક સ્થિરતા આવે તેની સાથે જીવનના દરેક ક્ષણ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રવૃત્તિમય રહીને જીવી શકાય તેના માટે કરવામાં આવી રહ્યો છે જેમાં આજે જૂનાગઢના સિનિયર સીટીઝનોએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લઈને આજના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details