ગુજરાત

gujarat

JMC: BU સર્ટીફિકેટને લઈને હાઇકોર્ટના આદેશ બાદ યોગ્ય નિર્ણય માંટે કોર્પોરેટરોએ કરી માંગ

By

Published : Mar 16, 2022, 7:02 PM IST

જૂનાગઢ મનપાની(Authorities of JMC) સાધારણ સભાનું આજે આયોજન થયું હતું. ભાજપના સિનિયર કોર્પોરેટર સંજય કોરડીયા અને વર્ષોથી જૂનાગઢ મનપામાં મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા કોગ્રેસના મંજુલાબેન પરસાણાએ BU સર્ટીફિકેટને લઈને જૂનાગઢ મનપાના અધિકારી અને સત્તાધીશો જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. તેને લઈને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.

JMC: BU સર્ટીફિકેટને લઈને હાઇકોર્ટના આદેશ બાદ યોગ્ય નિર્ણય માંટે કોર્પોરેટરોએ કરી માંગ
JMC: BU સર્ટીફિકેટને લઈને હાઇકોર્ટના આદેશ બાદ યોગ્ય નિર્ણય માંટે કોર્પોરેટરોએ કરી માંગ

જૂનાગઢ:જૂનાગઢ મનપાના (JMC)સત્તાધીશોનેBU સર્ટિફિકેટને લઈને ચાલી રહી છે માથાકૂટ બાબતેનિર્ણય આવે તે માટે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. ભાજપના સિનિયર કોર્પોરેટર સંજય કોરડીયા અને વર્ષોથી જૂનાગઢ મનપામાં મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા કોગ્રેસના મંજુલાબેન પરસાણાએ BU સર્ટીફિકેટને લઈને જૂનાગઢ મનપાના અધિકારી અને સત્તાધીશો જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. તેને લઈને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો. જણાવ્યું હતું કે BU સર્ટીફિકેટને (BU certificate)લઈને હાઇકોર્ટના આદેશ બાદ(After High court Order) કોઈ યોગ્ય નિર્ણય આવે તેવી ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ માંગ (BJP and Congress corporators demand)કરી હતી.

જૂનાગઢ મનપામાં મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા કોગ્રેસના મંજુલાબેન પરસાણા એ BU સર્ટીફિકેટને લઈને જૂનાગઢ મનપાના અધિકારી અને સત્તાધીશો જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. તેને લઈને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.

રાજ્યની વડી અદાલતના આદેશ બાદ BU સર્ટિફિકેટને લઈને ચાલી રહી છે માથાકૂટ -જૂનાગઢ મનપાની સાધારણ સભાનું આજે આયોજન થયું હતું. આ સભામાં BU સર્ટિફિકેટને લઇને મામલો ઉગ્ર બનશે તેવું અગાઉથી વર્તાઈ રહ્યું હતું. ત્યારે આજે મળેલી જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ એક સૂરમાં ઇમારતોને હાઈકોર્ટના આદેશ ભાગ BU સર્ટિફિકેટને લઈને જૂનાગઢ મનપા જે કામગીરી કરી રહી છે. તેને લઈને કોઈ યોગ્ય અને હકારાત્મક નિર્ણય આવે તે દિશામાં જૂનાગઢ મનપાના સત્તાધીશોને (Authorities of JMC)અમલ કરવા પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. ભાજપના સિનિયર કોર્પોરેટર સંજય કોરડીયા અને વર્ષોથી જૂનાગઢ મનપામાં મહિલા કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા કોગ્રેસના મંજુલાબેન પરસાણાએ BU સર્ટીફિકેટને લઈને જૂનાગઢ મનપાના અધિકારી અને સત્તાધીશો જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. તેને લઈને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો. જણાવ્યું હતું કે BU સર્ટીફિકેટને લઈને હાઇકોર્ટના આદેશ બાદ કોઈ યોગ્ય નિર્ણય આવે તેવી ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ માંગ કરી હતી.

આ પણ વાંચો:RMC Non BU Building Ceiling Drive : 8 હોસ્પિટલોને સીલ કરી, 350 હોસ્પિટલોને 2 માસ પહેલાં નોટિસ આપી હતી

ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાએ મંચ પર પ્રમાણપત્રો આપવાની કરી હિમાયત -ભાજપના સિનિયર કોર્પોરેટર સંજય કોરડીયાએ BU સર્ટીફીકેટને લઈને રાજ્યની વડી અદાલતે જે આદેશ કર્યા છે તેની મર્યાદામાં પાલન કરીને ઇમારતોને કઈ રીતે સર્ટિફિકેટ આપી શકાય તેને લઈને જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ગંભીરતાપૂર્વક વિચાર કરીને રાજ્યની વડી અદાલતના આદેશનું પાલન થાય તે મુજબ કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ કરી હતી. જણાવ્યું હતું કે BUની સાથે બાંધકામ અને ફાયર NOC (Fire Non Objection Certificate)જેવી બાબતો જાહેરમાં ખુલ્લા મંચ પર જૂનાગઢ મનપા દ્વારા કરવામાં આવે તો ભવિષ્યમાં આ પ્રકારની એક પણ સમસ્યાઓ ઉદ્ભભવે નહીં અને મનપાનો વહિવટ ખૂબ પારદર્શી બનશે જેને કારણે આવા ગંભીર વિષયોમાં રાજ્યની વડી અદાલતે ખુલીને સામે આવવું પડે તેવા કિસ્સાઓ પણ બનતા અટકી જશે.

અધિકારી અને બિલ્ડરોની મિલીભગત તેવો લગાવ્યો આક્ષેપ, મંજુલાબેન પરસાણા

આ પણ વાંચો:બીયુ પરમિશન મામલે મનપાની સીલિંગ કાર્યવાહી સામે આગામી સમયમાં આપ કરશે વિરોધ

અધિકારી અને બિલ્ડરોની મિલીભગત તેવો લગાવ્યો આક્ષેપ -વોર્ડ નંબર 4ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર મંજુલાબેન પરસાણા એ BU ફાયર NOC અને બાંધકામને લઈને જે સમસ્યાઓ(Problems with construction) વર્તમાન સમયમાં મિલકતધારકોને પડી રહી છે. તેના મૂળમાં જૂનાગઢ મનપાના અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠને કારણે આ સમસ્યા હવે મિલકતને ખરીદનાર લોકો ભોગવી રહ્યા છે. 30 વર્ષ જૂની મિલકતનું બાંધકામ અને ફાયર NOC સાથે BU સર્ટીફિકેટ કઈ રીતે આપી શકાય. તે ખૂબ ગંભીર બાબત છે, અને તેને કારણે હાલના સમયમાં મિલકત ધરાવનાર લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે તે સમયે જૂનાગઢ મનપાના અધિકારીઓ અને બિલ્ડરોની મીલીભગતને કારણે આ પ્રકારની તાંત્રિક ખામીઓ ઇમારતના બાંધકામમાં રહી ગયેલી જોવા મળે છે. જેને કારણે આજે આવી મિલકતોને ખરીદનાર વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે. ત્યારે સમગ્ર મામલામાં કોઇ યોગ્ય અને કાયદાની મર્યાદામાં રહીને નિરાકરણ આવે તેવી માંગ પણ તેમણે કરી છે.

જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 142 જેટલી ઇમારતો BU સર્ટીફિકેટ વગરની -જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 142 જેટલી ઇમારતો BU સર્ટીફિકેટ વિહોણી જોવા મળે છે જેને લઇને પણ હવે કાયદાની મર્યાદામાં રહીને આ તમામ ઇમારતોને સીલીંગ કરવા સુધીની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવશે આ 142 ઇમારતો પૈકી 27 ઇમારતો વ્યાપારિક ઇમારતો તરીકે બાંધવામાં આવી છે તો કોર્પોરેશન વિસ્તારમાં 24 ઇમારતો રહેણાંકના હેતુ માટે બનાવવામાં આવી છે પરંતુ તેનું BU સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું નથી તો સાથે સાથે ખૂબ જ ચિંતાજનક કહી શકાય તે પ્રકારે 38 જેટલી શાળા અને કોલેજના બિલ્ડિંગો પણ BU સર્ટિફિકેટ વગરના બનાવવામાં આવ્યા છે જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સૌથી ચિંતાનો વિષય જૂનાગઢ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોની ઇમારતો બની રહી છે મનપા વિસ્તારમાં આવેલી 53 જેટલી હોસ્પિટલોની ઈમારત BU સર્ટિફિકેટ વગર ખડકી દેવામાં આવી છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ તબીબી સવલત મેળવવા માટે આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં BU પ્રમાણપત્ર જૂનાગઢ મનપાના સત્તાધીશો માટે ગળામા ફસાયેલા હાડકા સમાન માનવામાં આવી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details