ગુજરાત

gujarat

ગુજરાતમાં કોરોનાઃ આજે 366 નવા કેસ, 305 દર્દી સાજા થયા, 33ના મોત

By

Published : May 18, 2020, 9:58 PM IST

ગુજરાતમાંં દિન પ્રતિદિન કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. આજે સોમવારે રાજ્યમાં વધુ કોરોનાના 366 કેસ નોંધાયા છે. આ સાથે કુલ આંંક 11746 પર પહોંચ્યો છે.

Etv Bharat
coronavirus news


ગાંધીનગરઃ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઈરસ અટકવાનું નામ લેતો નથી. તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 366 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાઈરસના કારણે આજે સારવાર લઈ રહેલા 33 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 11,746 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, આજે રાજ્યમાંથી 305 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં વધુ 366 કેસ નોધાયા

સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે આજે અમદાવાદમાં 263, વડોદરામાં 22, સુરતમાં 33, ગાંધીનગર 12,ભાવનગર 4, રાજકોટ 1, અરવલ્લી 3, મહીસાગર 2, ખેડા 1, પાટણ 7, સાબરકાંઠા 1, દાહોદ 4, કચ્છ 3, વલસાડ 6, જુનાગઢ 3 અને સુરેન્દ્રનગરમા 1 કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે જ રાજ્યનો કુલ આંકડો 11,746 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 8683 કેસ નોંધાયા છે.

રાજ્યમાં વધુ 366 કેસ નોધાયા

ABOUT THE AUTHOR

...view details