ગુજરાત

gujarat

તક્ષશિલા સોસાયટીના લોકો કોરોના પોઝિટિવ પરિવારોને પૂરી પાડે છે ટિફિનની સેવા

સંકટના સમયે પહેલો સાથી એટલે પાડોશી. આ કહેવતને સાચા અર્થોમાં ચરિતાર્થ કરવાનું કામ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી તક્ષશિલા સોસાયટીના લોકોએ કર્યું છે. આ સોસાયટીના લોકો જે ઘરમાં મહિલા કોરોના પોઝિટિવ આવે તેમના ઘરના દરેક સભ્યને ઘરે બનાવેલું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

By

Published : Apr 30, 2021, 6:46 PM IST

Published : Apr 30, 2021, 6:46 PM IST

Updated : Apr 30, 2021, 7:35 PM IST

તક્ષશિલા સોસાયટીના લોકો કોરોના પોઝિટિવ પરિવારોને પૂરી પાડે છે ટિફિનની સેવા
તક્ષશિલા સોસાયટીના લોકો કોરોના પોઝિટિવ પરિવારોને પૂરી પાડે છે ટિફિનની સેવા

  • કોરોનાનો કહેર યથાવત
  • વસ્ત્રાપુરની તક્ષશિલા સોસાયટી સમાજ માટે ઉદાહરણ રૂપ
  • સોસાયટીના કોરોના પોઝિટિવ દર્દીઓને ટિફિનની સેવા અપાઇ છે

અમદાવાદઃસંકટના સમયે પહેલો સાથી એટલે પાડોશી. આ કહેવતને સાચા અર્થોમાં ચરિતાર્થ કરવાનું કામ વસ્ત્રાપુરમાં આવેલી તક્ષશિલા સોસાયટીના લોકોએ કર્યું છે. આ સોસાયટીના લોકો જે ઘરમાં મહિલા કોરોના પોઝિટિવ આવે તેમના ઘરના દરેક સભ્યને ઘરે બનાવેલું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે જે ઘરમાં કોરોના પોઝિટિવ આવે છે તે પરિવારની સમસ્યાને કેટલેક અંશે ઘટાડી તેમને મદદ કરી શકાય તે માટેનો છે. જેથી પરિવાર અન્ય જરૂરિયાતને છોડી માત્ર પોતાના અને કુટુંબીજનોના આરોગ્ય ઉપર ધ્યાન આપી શકે. આ સોસાયટીમાં 350થી પણ વધુ ફ્લેટ્સ છે અને અત્યાર સુધી 40થી વધુ ઘરોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

વસ્ત્રાપુરની તક્ષશિલા સોસાયટી સમાજ માટે ઉદાહરણ રૂપ

આ પણ વાંચોઃ ડીસામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને જમવામાં તકલીફ ન પડે તે માટે યુવાનો દ્વારા ટિફિન સેવા શરૂ

કઈ રીતે પહેલની થઇ શરૂઆત

બોડકદેવના કાઉન્સીલડ દેવાંગ દાણીએ સોસાયટીના ચેરમેન સાથે વાત કરી તેમના સોસાયટીમાં આવતા કોરોના પોઝિટિવ દર્દીની મદદ કરવાની સલાહ આપી. આ સલાહનું પાલન સોસાયટીના ચેરમેન અને બાકી અન્ય સભ્યોએ શરૂ કર્યું. તેમણે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યો કે જે પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે જમવાની વ્યવસ્થા કરવાની જરૂર નથી અને સોસાયટીના લોકો તેમણે વ્હારે ઉભા છે. જે ઘરમાં પણ પોઝિટિવ આવ્યા હોય તેઓ વોટ્સએપ ગ્રુપમાં પોતાના પરિવારની ડિટેઇલ આપે છે.

તક્ષશિલા સોસાયટીના લોકો કોરોના પોઝિટિવ પરિવારોને પૂરી પાડે છે ટિફિનની સેવા

શુંકહે છે સોસાયટીના ચેરમેન

તક્ષશિલા સોસાયટીના ચેરમેન શરદભાઈ દેસાઈનું કહેવું છે કે, જે ઘરોમાં મહિલાઓને કોરોના પોઝિટિવ આવે છે. તે ઘરમાં આ સ્થિતિ વધુ કપરી બની જાય છે. એવામાં મહત્વું છે કે આવા પરિવારોને મદદ કરવામાં આવે. અત્યાર સુધી 40 જેટલા ઘરોમાં ટિફિન આપવામાં આવ્યા છે. જો બહારથી તેઓ જમવાનું મંગાવશે તો તે બિન આરોગ્યપ્રદ રહેશે. એટલે અમે અમારી સોસાયટીના જ એક મહિલાને તમામ ઘરોમાં ટિફિન પહોંચાડવાનું કહ્યું છે. વધુમાં તેમના ઘરનો કચરો પણ અલગથી લેવાઈ જાય તે માટેની પણ સગવડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓ માટે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નિ:શુલ્ક ટિફિન સેવા

સોસાયટીની મદદથી હું મારુ સંપૂર્ણ ધ્યાન પરિવારના આરોગ્યમાં લગાવી શક્યો

તક્ષશિલા સોસાયટીના સભ્ય ધવલ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે, જ્યારે તેમના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમને મુંઝવણ હતી કે પોતે એકલા હાથે કઈ રીતે બધું સંભાળશે. પણ સોસાયટીના સહકારથી તેમની ઘણી મદદ થઇ. તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન ઘરના સભ્યોના આરોગ્ય પાછળ કેન્દ્રિત કરી શક્યા. આ ઉપરાંત જ્યારે કોરોના વેસ્ટ વાન કચરો કલેક્ટ કરવા આવે ત્યારે પણ સોસાયટી દ્વારા દરેક ઘરમાં ફોન કરીને જાણ કરવામાં આવે છે. જેથી સંક્ર્મણ ન ફેલાય.

Last Updated : Apr 30, 2021, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details