ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV Bharat Special: અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર સામે GMDC ગ્રાઉન્ડમાં મેંગો માર્કેટ ભરાયું

ગુજરાતમાં અમદાવાદ એ કોરોના વાયરસનું હબ બન્યું છે. અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી દરરોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. અમદાવાદનો સિટી વિસ્તાર કન્ટેનમેઈન્ટ ઝોનમાં આવે છે, ત્યાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ ચાલુ છે. પણ અમદાવાદનો પશ્રિમ વિસ્તાર નોન-કેન્ટનમેઈન્ટ ઝોન છે. જ્યાં અવરજવર અને વેપાર-ધંધા શરૂ થયા છે. અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડમાં મેંગો માર્કેટ શરૂ કરાયું છે. આશ્રર્યની વાત તો એ છે કે જીએમડી ગ્રાઉન્ડની સામે સમરસ હોસ્ટેલ છે, કે જે કોવિડ કેર સેન્ટર છે. આ વાત કોઈના ધ્યાન પર આવી જ નથી. અને અમદાવાદીઓ પ્રેમથી કેરીઓ ખરીદવા જીએમડી ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા છે. મેંગો માર્કેટ પર ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ…

By

Published : May 27, 2020, 7:52 PM IST

Updated : May 27, 2020, 10:09 PM IST

Ahmedabad Mango Marke
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં મેંગો માર્કેટ ભરાયું

અમદાવાદઃ જિલ્લામાં અત્યાર સુધીમાં(26 મે, 2020) કોરોનાના કુલ 10,841 કેસ નોંધાયા છે, અને 745ના મોત થયા છે. ભારત દેશમાં કોરોનાના કેસની દ્રષ્ટિએ મુંબઈ પછી અમદાવાદ બીજા ક્રમે આવે છે. ગુજરાત સરકાર તમામને ઘરમાં રહેવાની સલાહ આપે છે, કોઈએ કામ સિવાય બહાર નીકળવું નહી, અને બીજી તરફ અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બિજલબહેન પટેલ 26 મે ને મંગળવારે સવારે મેંગો માર્કેટના ઉદઘાટન કરવા રિબિન કાપી હતી. એકતરફ કોરોનાનો કાળો કેર છે, જાહેર કાર્યક્રમો કરવાના નથી અને મેયર બિજલબહેન પટેલ દ્વારા રિબિન કાપીને મેંગો માર્કેટને શરૂ કરાય છે. અને તેનાથી વિશેષ વાત એ છે કે મેંગો માર્કેટ પર તેઓ બોલ્યા, પણ મીડિયાએ અમદાવાદમાં કોરોનાનો કેર અને અમદાવાદ મ્યુનિસિપલ કમીશનરની બદલી અંગેના સવાલ પુછ્યા તો તેઓ ઉભા જ રહ્યા નહી, અને કહ્યું કે મારુ પણ અમદાવાદ છે. હું મેંગો માર્કેટ માટે આવી છું, તે જ સવાલ પુછવાના.

ETV Bharat Special: અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર સામે જીએમડીસી ગ્રાઉન્ડમાં મેંગો માર્કેટ ભરાયું

અમદાવાદની ગંભીર સ્થિતિને જોતા લૉક ડાઉનનું સંપૂર્ણ રીતે પાલન કરાવવું જોઈએ. અમદાવાદ સિટી વિસ્તાર સિવાય નોન-કેન્ટનમેઈન્ટ ઝોનમાંથી કોરોનાના નવા કેસ દરરોજ આવી રહ્યા છે, તેમ છતાં મેયરે મેંગો માર્કેટ શરૂ કરવાની પરવાનગી આપી અને રિબિન કાપવા પણ આવ્યા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 100 સ્ટોલ્સ છે, તેમાંથી 75 ટકા સ્ટોલ ખાલી છે.

25 ટકા સ્ટોલ પર કેરીના વેપારીઓ કેરી વેચવા આવ્યા છે, તે પણ કોઈપણ નિયમના પાલન વગર કેરીઓ વેચતા હતા. એકએક સ્ટોલ પર ભીડ હતી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કયાંય થતું નથી. સેનેટાઈઝરનો કોઈ ઉપયોગ કરતું નથી. થર્મો ગન લઈને મેઈન ગેટ પાસે એક સિક્યુરીટીવાળો ઉભો છે, તે પણ કરવા ખાતર ચેક કરતો હોય તેવું જણાયું હતું.

ETV Bharat Special: અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર સામે જીએમડીસી ગ્રાઉન્ડમાં મેંગો માર્કેટ ભરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તો કોઈ ગંભીરતા નથી, પણ અમદાવાદવાસીઓને કોરોનાની કોઈ ગંભીરતા નથી, તેમને મતે આ સીઝનમાં કેસર કેરી ખાદ્યા વગરના રહી જઈશું. ત્રીજા તબક્કાના લૉક ડાઉન વખતે એવું બહાર આવ્યું કે શાકભાજીવાળા સુપર સ્પ્રેડર છે, તો તંત્રએ શાકભાજી વેચવાની બંધ કરાવી દીધી હતી. તો હવે સવાલ એ થાય કે કેરી વેચનારા સુપર સ્પ્રેડર ન હોઈ શકે.

સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ

કેરી વેચનારા જે આવ્યા છે તેઓ બીજા શહેરમાંથી આવ્યા છે, તે શહેર અમદાવાદથી વધારે સેફ છે. તંત્રએ કેરી વેચવાની મંજૂરી આપીને તેમના જીવને જોખમમાં મુક્યો છે. મેંગો માર્કેટમાં 75 ટકા સ્ટોલ ખાલી છે. કેરી વેચનારા ગીર, તલાલા, જૂનાગઢ, વલસાડના ખેડૂતોને બીક લાગે છે કે અમદાવાદમાં કેરી વેચવા ન જવાય. અને અમદાવાદવાસીઓને કોઈ બીક નથી. બીજી વાત જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યાં મેંગો માર્કેટ ભરાયું છે, ત્યાં સામે સમરસ હોસ્ટેલ છે, તેમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે. અમદાવાદવાસીઓ અને કોર્પોરેશનના ધ્યાનમાં આ વાત કેમ નથી આવી.

-ભરત પંચાલનો વિશેષ અહેવાલ બ્યૂરો ચીફ, અમદાવાદ

Last Updated : May 27, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details