ગુજરાત

gujarat

ETV Bharat / city

રેલવેએ 13 મે સુધી 642 “શ્રમિક ટ્રેન” દોડાવી, અંદાજે 7.90 લાખ મુસાફરો માદરે વતન પહોંચ્યા

દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By

Published : May 13, 2020, 10:26 PM IST

Indian Railway operated 642 Special Trains for workers across the country by 13 May 2020
ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં 13 મે 2020 સુધીમાં 642 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું

અમદાવાદ: દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં 13 મે 2020 સુધીમાં 642 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું


રેલવે દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં 13 મે 2020 સુધીમાં કુલ 642 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું છે. મુસાફરોને મોકલી રહેલા રાજ્ય અને તેઓ જ્યાં જઇ રહ્યાં છે, તે રાજ્ય બંને વચ્ચે સંમતિ થયા પછી જ રેલવે દ્વારા ટ્રેન લઇ જવામાં આવે છે. અંદાજે 7.90 લાખ મુસાફરો તેમના વતન રાજ્યમાં પહોંચ્યા.

ભારતીય રેલવે દ્વારા સમગ્ર દેશમાં 13 મે 2020 સુધીમાં 642 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું
વિવિધ ગંતવ્ય સ્થળોએ પહોંચેલી આ 642 ટ્રેનો - આંધ્રપ્રદેશ (3 ટ્રેન), બિહાર (169 ટ્રેન), છત્તીસગઢ (6 ટ્રેન), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), જમ્મુ અને કાશ્મીર (3 ટ્રેન), ઝારખંડ (40 ટ્રેન), કર્ણાટક (1 ટ્રેન), મધ્યપ્રદેશ (53 ટ્રેન), મહારાષ્ટ્ર (3 ટ્રેન), મણીપુર (1 ટ્રેન), મિઝોરમ (1 ટ્રેન), ઓડિશા (38 ટ્રેન), રાજસ્થાન (8 ટ્રેન), તામિલનાડુ (1 ટ્રેન), તેલંગાણા (1 ટ્રેન), ત્રિપૂરા (1 ટ્રેન), ઉત્તરપ્રદેશ (301 ટ્રેન), ઉત્તરાખંડ (4 ટ્રેન), પશ્ચિમ બંગાળ (7 ટ્રેન) જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે. આ શ્રમિક વિશેષ ટ્રેનોમાં મુસાફરો બેસે તે પહેલાં સુનિશ્ચિપણે તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details