ગુજરાત

gujarat

ETV Bharat / city

Bharat Gaurav Train: 'ભારત ગૌરવ' ટ્રેન ભાડે આપી રહ્યું છે રેલવે, ટૂર ઓપરેટર 2 વર્ષ માટે લીઝ પર લઈ શકશે

મહત્વના પર્યટન સ્થળોને જોડતી 'ભારત ગૌરવ ટ્રેન' (Bharat Gaurav Train) શરૂ કરવામાં આવશે. ભુજ, વડનગર, ગાંધીનગર તેમજ અમદાવાદ સહિતના પર્યટન સ્થળો (tourist destinations near ahmedabad)ને દેશના અન્ય સ્થળો સાથે જોડીને ભારત ગૌરવ ટ્રેન ચલાવી શકાય છે. ટૂર ઑપરેટરો 2 વર્ષ માટે ટ્રેન લીઝ (train on lease in india) પર લઈ શકશે. રેલવે દ્વારા આ પ્રકારની 150 ટ્રેનો ચલાવવાની યોજના છે.

By

Published : Dec 6, 2021, 10:58 PM IST

Bharat Gaurav Train: 'ભારત ગૌરવ' ટ્રેન ભાડે આપી રહ્યું છે રેલવે, ટૂર ઓપરેટર 2 વર્ષ માટે લીઝ પર લઈ શકશે
Bharat Gaurav Train: 'ભારત ગૌરવ' ટ્રેન ભાડે આપી રહ્યું છે રેલવે, ટૂર ઓપરેટર 2 વર્ષ માટે લીઝ પર લઈ શકશે

  • 150 જેટલી પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં આવશે
  • મહત્વના પર્યટન સ્થળને જોડતી ટ્રેન ભાડે આપશે રેલવે વિભાગ
  • ટૂર ઑપરેટર પોતાની રીતે ભાડું નક્કી કરી શકશે

અમદાવાદ: સરકારી સેવાઓમાં ખાનગીકરણ (privatization of government services in india) થઈ રહ્યું છે. તેમાં રેલવે પણ સામેલ છે. રેલવે દ્વારા પહેલા જ 150 જેટલી પ્રાઇવેટ ટ્રેન (indian railways private train) ચલાવવાની વાત કરવામાં આવી છે. હવે રેલવે મહત્વના પર્યટન સ્થળને જોડતી 'ભારત ગૌરવ' ટ્રેન (Bharat Gaurav Train) ભાડે આપી રહ્યું છે.

ટુરિઝમ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે સારી તક

ટુરિઝમ ક્ષેત્રના વ્યાવસાયિકો બસ, ટ્રેન અને પ્લેનનું બુકિંગ કરતા હતા, પરંતુ હવે તેઓ સમગ્ર ટ્રેન ભાડા ઉપર લઇ શકશે અને પોતાની આવશ્યકતા અનુસાર રૂટનું નિર્ધારણ પણ કરી શકશે. આ વિશે વધુ માહિતી આપતા અમદાવાદ મંડળના રેલવે મેનેજર તરુણ જૈને જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળ (tourist destinations near ahmedabad)માં આવતા પર્યટન સ્થળો જેમ કે ભુજ, વડનગર, ગાંધીનગર તેમજ અમદાવાદ સહિતના પર્યટન સ્થળોને દેશના અન્ય સ્થળો સાથે જોડીને ભારત ગૌરવ ટ્રેન ચલાવી શકાય છે. આના દ્વારા સ્થળોની સંસ્કૃતિ અને વિરાસતને પર્યટકોને નજીકથી જાણવા માટે અવસર પૂરો પાડશે.

'ભારત ગૌરવ ટ્રેન' 2 વર્ષ માટે લીઝ પર લઈ શકાશે

તરુણ જૈને વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ ટૂર ઓપરેટર ભારત ગૌરવ ટ્રેન (tour operators bharat gaurav train)ને ઓછામાં ઓછા 02 વર્ષ માટે લીઝ પર લઈ શકે છે. તેનું ભાડું પણ તે નક્કી કરી શકે છે. ટ્રેનના કોચને મોડીફાઈ કરી શકાય છે. ટ્રેનની અંદરના જુદા-જુદા ટેરિફ પણ પોતાની રીતે નક્કી કરી શકે છે. ટ્રેન માટે માર્કેટિંગ, બુકિંગ અને કેટરિંગ સુવિધા માટે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી શકે છે. તે પોતાની જાહેરાત ટ્રેનની અંદર અને બહાર કરી શકે છે. આ ટ્રેન 14 ડબ્બાની હશે, વધુમાં વધુ 20 ડબ્બાની અનુમતિ આપવામાં આવી છે.

રેલવે પ્રધાનનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ

અમદાવાદ મંડળના રેલવે પ્રવક્તા (railway spokesperson of ahmedabad division) જે.કે. જયંતે Etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ રેલવે પ્રધાનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેનું મુખ્યાલય ચર્ચગેટ ખાતે આવેલું છે."

આ પણ વાંચો: modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે

આ પણ વાંચો: Penguin Gallery Science City: અમદાવાદ સાયન્સ સિટીમાં નવું નજરાણું, આફ્રિકાથી આવ્યા પેંગ્વિન

ABOUT THE AUTHOR

...view details