ગુજરાત

gujarat

By

Published : Mar 5, 2021, 10:59 AM IST

Updated : Mar 5, 2021, 3:35 PM IST

ETV Bharat / city

આઈશા આત્મહત્યા કેસઃ આઈશાના પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદમાં આઈશા આત્મહત્યા કેસમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. કોર્ટે આઈશાના પતિના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, પોલીસ પૂછપરછમાં આરિફ આર્થિક રીતે સદ્ધર છે અને તેની પાસે ચાર દુકાનો અને ત્રણ ભવ્ય મકાનો છે. તે સદ્ધર હોવા છતાં આઈશાના પિતા પાસે અવારનવાર પૈસાની માગ કરીને માનસિક ત્રાસ આપતો હતો.

આઈશા આત્મહત્યા કેસઃ આઈશાના પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર
આઈશા આત્મહત્યા કેસઃ આઈશાના પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર

  • આઈશાનો પતિ આરિફ આર્થિક રીતે સદ્ધર હોવાનું સામે આવ્યું
  • આરિફ આઈશાના પિતા પાસે અવારનવાર પૈસાની માગણી કરતો
  • આઈશાના પિતાએ આરિફને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા

અમદાવાદઃ આઈશા આત્મહત્યા કેસમાં પોલીસે તેના પતિ આરિફની ધરપકડ કરી હતી, જે બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, પોલીસે આ અંગે પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરિફની ઝાલોરમાં 4 દુકાનો અને 3 ભવ્ય મકાન છે. તેની પોતાની મહિનાની આવક રૂ. 50 હજાર હતી. આરિફ અને તેના પિતા ઝાલોરમાં માઈનિંગ ફેક્ટરીમાં નોકરી કરે છે. સારો પગાર હોવા છતાં આરિફ વારંવાર આઈશાના પિતા પાસે પૈસાની માગ કરતો હતો. આઈશાના પિતા પૈસા આપવાની ના પાડતા ત્યારે ત્યારે તેના સાસરિયામાંથી પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું અને ત્રાસ આપવામાં આવતું હતું. આઈશાના પિતાએ કહ્યું હતું કે, તેમણે પોતાના દીકરાઓ માટે મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હતા, પરંતુ આઈશાના પતિએ પૈસા માગતા તેમણે તેને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ પણ અવારનવાર આઈશા પાસે તેનો પતિ પૈસા માગતો હતો.

વાંચો : આઈશા આત્મહત્યા કેસઃ કોર્ટે પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે 5 દિવસની રિમાન્ડની માગ કરી, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા

આરિફ હવે 6 માર્ચ સુધી રિમાન્ડ પર રહેશે. પોલીસ દ્વારા આઈશાએ જે અંતિમ વીડિયો બનાવ્યો તે બીજા કોઈને વાયરલ કર્યો છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. આરિફે આઈશાને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો છે કે નહીં? વીડિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે કે નહીં? એ તપાસ બાકી છે. આરોપી તપાસમાં સહકાર આપતો નથી, તેની પોલીસ કસ્ટડીની જરૂર છે. આઈશાને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી છે, તેમાં તેની સાથે બીજું કોઈ સંડોવાયું છે કે નહીં? એ બાબતે વિગતવાર તપાસ કરવાની બાકી છે. તમામ તપાસ માટે 5 દિવસના રિમાન્ડની જરૂર છે. અંતે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વાંચો : 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

Last Updated : Mar 5, 2021, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details