અમદાવાદ:રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓ પેન્શનના સુધારો કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. વલસાડ જિલ્લા પંચાયતમાં રોજમદારમાંથી કાયમી થયેલા કર્મચારીઓએ પેન્શન સુધાર અને રજા પગારનો લાભ મેળવવા માટે કરાયેલી અરજીમાં હાઈકોર્ટના સિંગલ જજે(Single Judge of the High Court) મહત્વનો ચુકાદો(High Court important judgment) આપ્યો હતો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, અરજદારોને રોજમદાર તરીકે નોકરીમાં નિમણૂંક આપ્યાની તારીખથી લઈને નિવૃત્ત થયાની તારીખ સુધીના સમયગાળાને પેન્શન માટે માન્ય ગણવો જોઈએ. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, હાલ રજા પગાર સિવાયના નિવૃત્તિના લાભો અરજદારોને આઠ સપ્તાહમાં ચૂકવવામાં આવશે.
અરજદારો શરૂઆતમાં રોજમદાર વલસાડ જિલ્લા પંચાયતમાં નોકરીમાં જોડાયા - આ પછી, 17 ઑક્ટોબર 2022ના ઠરાવ મુજબ તેમને કાયમી કરવામાં આવેલા હતા. તેમણે આ વિભાગમાં ત્રણ દાયકા કરતા પણ વધુ સમય સુધી ફરજ નિભાવેલી હતી. જો કે, નોકરીમાં કાયમી કર્યા તારીખથી નિવૃત્તિ સુધીના સમયગાળાને(Period till retirement) ધ્યાનમાં રાખીને તેમને પેન્શન ચુકવાતુ હતું. રોજમદાર તરીકેના 10 વર્ષની નોકરીને ગણતરીમાં લીધી ન હતી.
આ પણ વાંચો:અરવલ્લીમાં રાજ્યની પ્રથમ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ