ગુજરાત

gujarat

By

Published : May 23, 2020, 2:58 PM IST

ETV Bharat / business

કોવિડ-19 દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને તાત્કાલિક જરૂરિયાત માટે લોન પૂરી પાડી રહી છે કેનેરા બેંક

કેનરા બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કાયદાકીય લેણાં, પગાર / વેતન / વીજળી બીલ, ભાડા વગેરેની ચુકવણી માટે અસ્થાયી પ્રવાહિતા દૂર કરવા માટે કેનરા બેંક તેના ગ્રાહકોને ઝડપી અને મુશ્કેલી રહિત લોનની સુવિધા આપી રહી છે.

કોવિડ-19
કોવિડ-19

બેંગલુરુ: કેનેરા બેન્કે કોવિડ 19 થી પ્રભાવિત તમામ ઉધાર લેનારાઓ માટે ક્રેડિટ સપોર્ટની જાહેરાત કરી છે.

કેનરા બેન્કે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કાયદાકીય લેણાં, પગાર / વેતન / વીજળી બીલ, ભાડા વગેરેની ચુકવણી માટે અસ્થાયી પ્રવાહિતાના દૂર કરવા માટે કેનરા ક્રેડિટ સપોર્ટને ઝડપી અને મુશ્કેલી વિનાની લોન તરીકે વધારવામાં આવી છે.

બેન્કે કૃષિ, એસએચજી અને છૂટક કેટેગરી હેઠળ રૂપિયા 43000 રોડની આશરે છ લાખ લોન મંજુર કરી હોવાનું જણાવ્યું હતું. તેણે લોનને મંજૂરી આપવાની સુવિધા સમજાવવા પાત્ર લોન લેનારાઓને પહોંચવા એસ.એમ.એસ., કોલ સેન્ટર, ઇમેઇલ મોકલ્યો છે. અને વ્યક્તિગત કોલ જેવી વિવિધ વ્યૂહરચનાઓ તૈયાર કરી છે.

બેન્કે કહ્યું હતું કે, માર્ચ 2020 થી તેણે કોર્પોરેટ અને એમએસએમઇને રૂપિયા 60,000 કરોડથી વધુની મંજૂરી આપી છે.

કેનેરા બેંકના MD અને સીઇઓ, એલવી ​​પ્રભાકરે કહ્યું, "અમને ખાતરી છે કે, એકવાર લોકડાઉન પૂર્ણ થઈ ગયા પછી, અમારા ગ્રાહકો માન્યતા પ્રાપ્ત સુવિધાઓનો સંપૂર્ણ લાભ લઈ શકશે અને તેમનો વ્યવસાય સુધારશે."

ABOUT THE AUTHOR

...view details