ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં નહીં યોજાય કાવડયાત્રા

ઉત્તરપ્રદેશ સરકારે કાવડયાત્રા યોજવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી હતી પણ કોર્ટમાં કેન્દ્ર સરકારના નિવેદન બાદ રાજ્ય સરકારે પોતાનો નિર્ણય બદ્લ્યો હતો અને વિવિધ કાવડ સંઘ સાથે વાતચિત કરી હતી

By

Published : Jul 17, 2021, 11:03 PM IST

ઉત્તરપ્રદેશમાં નહીં યોજાય કાવડયાત્રા
ઉત્તરપ્રદેશમાં નહીં યોજાય કાવડયાત્રા

  • આ વર્ષે પણ નહીં યોજાય કેવડયાત્રા
  • કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
  • મુખ્યસચિવે યાત્રા રદ્દ થવાની કરી જાહેરાત

ન્યૂઝ ડેસ્ક: ઉત્તર પ્રદેશમાં કોવિડના કારણે આ વર્ષે પણ કાવડ યાત્રા નહીં નિકળે. ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને કાવડ સંઘોએ આ યાત્રા રદ્દ કરી છે. અગાઉ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કાવડયાત્રા કાઢવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાવડયાત્રા અંગે બે વખત બેઠક યોજી હતી તેમાં સ્થાનિક સ્તરના તમામ આદેશ આપવામાં આવ્યા હતાં. આ કાવડ યાત્રા અંગેની નોંધ કોર્ટે પણ લીધી હતી

વાતચીત બાદ લેવાયો નિર્ણય

આ દરમ્યાન કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલા નિવેદનમાં રાજ્યોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા નહીં કાઢવી જોઇએ તેમ જણાવ્યું હતું. જે પછી રાજ્ય સરકારે કાવડ સંઘો સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. હવે જ્યારે વિવિધ સંઘની સહમતી મળી ગઇ છે ત્યારે મુખ્ય સચિવ નવનીત સહગલએ જણાવ્યું છે કે કાવડયાત્રા રદ્દ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details