ગુજરાત

gujarat

By

Published : Jan 2, 2022, 3:35 PM IST

ETV Bharat / bharat

CM On Tamil Nadu Blast: બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોને મુખ્યપ્રધાને કરી વળતરની જાહેરાત

મુખ્યપ્રધાને કહ્યું કે, તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ત્રણ- ત્રણ લાખ રૂપિયાનું વળતર (Chief Minister MK Stalin's announcement) આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રી જન રાહત ફંડમાંથી (CM Public Relief Fund) ઈજાગ્રસ્તોને એક- એક લાખ રૂપિયા આપવાની સૂચના આપવામાં આવી છે.

CM On Tamil Nadu Blast
CM On Tamil Nadu Blast

ચેન્નાઈ: તામિલનાડુ (Tamil Nadu Blast) સરકારે રવિવારે વિરુધુનગર જિલ્લામાં 1 જાન્યુઆરીએ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં (explosion in firecracker factory) માર્યા ગયેલા લોકોના પરિવારોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલિને (Chief Minister MK Stalin) જણાવ્યું કે, આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. મુખ્યપ્રધાન સ્ટાલિને આ ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મુખ્યપ્રધાને ત્રણ- ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી

મુખ્યપ્રધાને (Chief Minister MK Stalin's announcement) કહ્યું કે, તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ત્રણ- ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રી જન રાહત ફંડમાંથી ઈજાગ્રસ્તોને એક- એક લાખ રૂપિયા આપવાની સૂચના આપવામાં આવી છે.

વિસ્ફોટમાં પાંચ કામદારોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર્દનાક દુર્ઘટનાના સમાચાર પછી તમિલનાડુમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના સમાચાર પણ આવ્યા હતા. આ વિસ્ફોટમાં પાંચ કામદારોના મોત થયા હતા, જ્યારે ઘણા ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટના તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં બની હતી.

આ પણ વાંચો: Omicron Cases India: ભારતમાં કોવિડ- 19ના 27,553 નવા કેસ, ઓમિક્રોનના 1,525 કેસ નોંધાયા

આ પણ વાંચો: SpiceJet Flight: દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ATCની મંજૂરી વિના રાજકોટથી ઉપાડવા મામલે તપાસ શરૂ

ABOUT THE AUTHOR

...view details