ગુજરાત

gujarat

corona update: ભારતમાં કોરોના વાઇરસના 30,549 નવા કેસ, 422 ના મોત

By

Published : Aug 3, 2021, 10:46 AM IST

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (CORONA) ના 30,549 નવા કેસ અને 422 મૃત્યુ નોંધાયા છે. હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 4,04,958 છે.

corona update
corona update

  • મૃત્યુની કુલ સંખ્યા 4,25,195 પર પહોંચી ગઈ
  • કુલ સંખ્યા વધીને 3,17,26,507 થઈ ગઈ
  • છેલ્લા 24 કલાકમાં 422 લોકોના મોત

નવી દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોના વાઇરસના 30,549 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 422 લોકોના મોત થયા છે. જે બાદ કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 3,17,26,507 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુની કુલ સંખ્યા 4,25,195 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓને રજા આપવામાં આવી

આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 4,04,958 છે. રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ રસી (COVID VACCINE) ના 61,09,587 ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 47,85,44,114 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Corona Update: 40,134 નવા કેસ, 24 કલાકમાં 422 મોત

આ પણ વાંચો:corona update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 હજાર 831 નવા કેસ, 541ના મોત

ABOUT THE AUTHOR

...view details