ગુજરાત

gujarat

રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો સવાલ, સેના પાસે હથિયાર કેમ નહોતા?

By

Published : Jun 18, 2020, 2:50 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં શહીદ થયેલા શહીદ જવાનો અંગે ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે ભારતના સૈનિકોને લઈને સવાલ કર્યો હતો કે, શા માટે જવાન પાસે હથિયાર નહોતા ??

Rahul
Rahul

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં શહીદ થયેલા જવાને અંગે ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમએ ભારતીય સૈનિકો વિશે લખ્યું હતું કે, આખરે શા માટે, જવાન પાસે હથિયાર નહોતા??

રાહુલ ગાંધી આ ટ્વવીટ બાદ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પોતાના જ દેશ વિરુદ્ધ નિવેદન ન કરવું જોઈએ.

આ પહેલા રણ રાહુલ ગાંધીએ એક વીડિઓમાં કહ્યું હતું કે, 'ચીને હિન્દુસ્તાનના શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરીને અપરાધ કર્યો છે. હું કહેવા માગું છું કે, શા માટે જવાનોને હથિયાર વિના મોત મોંમાં ધકેલ્યા હતા?'

આગળ વાત કરતાં રાહુલે કહ્યું હતું કે, આ ઘટના માટે કોણ જવાબદાર છે?

નોંધનીય છે કે, ભારત અને ચીનના સૈનિકોની એક હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા હતા. ચીનની સેનામાં કમાન્ડર સહિત 30થી વધુ સૈનિકો ઠાર થયા હોવાની વાત સામે આવી હતી. લદ્દાખના ગલવાન ઘાટીમાં આ હિંસક મુઠભેડ થઈ હતી. ત્યારબાદ બંને દેશ વચ્ચે તણાવ ઉભો થયો હતો.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વવીટ કરીને લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી જોડાયેલા સવાલ પૂછ્યાં હતા. જેમાં તેમણે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહપ્રધાન અમિત શાહને સેનાનિ ગતિવિધિયોને લઈને દેશને જવાબ આપવા જણાવ્યું હતું.

લદ્દાખમાં ભાજપ સાંસદ નામગ્યાલે ટ્વીટ કરીને લદ્દાખ LAC વિવાદ પર ટીપ્પણી કરી હતી.

LAC પર વધતાં તણાવને લઈને કર્યો કટાક્ષ

લદ્દાખમાં વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સાથે ગતિરોધને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન અમારી સીમામાં ઘુસપેઠ કરી રહ્યાં છે. પરંતુ વડાપ્રધાન મોદી આ મુદ્દે કોઈ જવાબ આપી રહ્યાં નથી.

ચીની સૈનિકોને લઈને આપ્યું નિવેદન

આ પહેલા રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘુસપેઠને અંગેના અહેવાલને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. જેમાં તેમણે કહ્યું હતું કે, શું સરકાર આ વાત પુષ્ટી કરી શકે છે કે, ચીનનો સૈનિક ભારતીય સેનામાં દાખલ થયો છે કે નહી??

ઉલ્લેખનીય છે કે, રક્ષાપ્રધાન રાજનાથ સિંહને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લગભગ એક મહિના પહેલાથી ચાલી રહેલા ગતિરોધના સંદર્ભમાં કહ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં ચીની સૈનિક મોટી સંખ્યામાં ઘૂસી રહ્યાં છે. જેથી ભારતે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવા જોઈએ.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ આ પહેલા પણ મોદી સરકારની કામગીરી પર અનેકવાર સવાલ ઉઠાવ્યા છે. કોરોના મહામારીથી ઉભા થયેલા આર્થિક સંકટને લઈને પણ રાહુલે સરકાર પર પલટવાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details