ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવ દુષ્કર્મ કેસ: માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો, સપા નેતાના ભાઈનો ટ્રક

લખનઉ: ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. રવિવારે રાયબરેલીમાં પીડિતાની કારનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પીડિતાના માસી અને કાકીનું મોત થયું હતુ, પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા છે.

By

Published : Jul 30, 2019, 8:32 AM IST

ઉન્નાવ દુષ્કર્મ: માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો, સપા નેતાના મોટા ભાઈનો છે ટ્રક

અકસ્માત બાદ ફતેહપુર જેલ રોડ પર દેવેન્દ્ર પાલનું ઘર બંધ છે. મળતી વિગતો મુજબ, દેવેન્દ્ર પાલ લલૌની થાણા વિસ્તારના મુત્તોર ગામનો રહેવાસી છે. તેમની તપાસ શરુ કરવામાં આવી રહી છે. મળતી વિગતો મુજબ, ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અકસ્માતમાં નવો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત કરનાર ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટાભાઈ દેવેન્દ્ર પાલનો છે. તેમજ દેવેન્દ્ર પાલનું ઘર બંધનું ઘર બંધ હોવાથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details