ગુજરાત

gujarat

By

Published : Jun 22, 2020, 2:33 PM IST

ETV Bharat / bharat

મનોજ તિવારીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે ઉઠાવ્યા સવાલો

ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા હત્યાના કેસમાં બોલીવૂડ પર અનેક સવાલ ઉઠાવ્યા છે. લાંબા સમય પછી આજે દિલ્હીથી પટના પહોંચેલા મનોજ તિવારીએ કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત સાથે જે બન્યું તે બહુ જ ખોટું થયું છે. તેમના દોષિતોને સજા થવી જોઇએ.

મનોજ તિવારીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે ઉઠાવ્યા સવાલો
મનોજ તિવારીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે ઉઠાવ્યા સવાલો

પટનાઃ ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા હત્યા કેસમાં બોલીવુડ પર પણ સવાલ ઉઠાવ્યા છે. લાંબા સમય પછી આજે દિલ્હીથી પટના પહોંચેલા મનોજ તિવારીએ કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત સાથે જે બન્યું તે બહુ જ ખોટું થયું છે અને તેના વિશે જે કહેવામાં આવી રહ્યું છે, તે ગળે નથી ઉતરતું. મનોજ તિવારીએ કહ્યું કે, સુશાંતસિંહ રાજપૂતના મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દોષીતોનો ચહેરો સામે આવે તેવી માગ કરી હતી.

મનોજ તિવારીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે ઉઠાવ્યા સવાલો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું રહસ્ય હજી અકબંધ છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાયા છે. મનોજ તિવારી પોતાના પરિવારના સભ્યોને મળવા દિલ્હીથી પટના પહોંચતાની સાથે જ કહ્યું હતું કે, નાના શહેરોથી મુંબઇ અથવા બોલીવુડ તરફ જતા લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે અને સુશાંતે આત્મહત્યા કરી સુશાંત સાથે જે બન્યું તેના પુરાવા છે કે, તેની સાથે બોલિવૂડમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો. મનોજ તિવારીએ કહ્યું છે કે, બિગ બોસમાં જોડાતી વખતે તેમની સાથે ઘણું બધું બન્યું હતું. શું તેને સલમાન ખાનના શો બિગ બોસમાં નિશાન બનાવવામાં આવી રહ્યો હતો.

મનોજ તિવારીએ કહ્યું કે, દરેકને જાણે છે કે, બોલિવૂડ નાના શહેરથી આવતા કલાકારો સાથે કેવો વ્યવહાર કરે છે. તેથી અમે સરકાર પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરીએ છીએ, જે દોષિત છે તેની સજા મળવી જ જોઇએ.

ABOUT THE AUTHOR

...view details