25 મેના રોજ સ્મૃતિ ઈરાની નજીક ભાજપના નેતા પૂર્વ સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક રાજેશ કુમારે જણાવ્યું કે, આ મામલે 5 લોકો પર હત્યા અને ષડયંત્રનો આરોપ છે. પોલીસે વસીમ, નસીમ, ગોલૂ સિંહ, રામચંદ્ર બીડીસી, રામનાથ ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં બીડીસી રામચન્દ્ર ,ધર્મનાથ અને નસીમની ધરપકડ કરવામાં આવી છે.
સ્મૃતિ ઈરાનીના સહયોગી સુરેન્દ્ર સિંહની હત્યા મામલે 3 આરોપીની ધરપકડ
ઉતરપ્રદેશઃ અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીના નજીકના સહયોગી બરૌલિયાના પૂર્વ પ્રધાન સુરેન્દ્રર સિંહની હત્યા મામલે 5 આરોપીમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરેન્દ્ર સિંહની હત્યા મામલે, 3 આરોપીની ધરપકડ
સુરેન્દ્ર સિંહના પુત્રએ કહ્યું કે, મારા પિતા સ્મૃતિ ઈરાનીના નજીકના સહયોગી હતા અને પ્રચાર કરતા હતા. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : May 28, 2019, 11:38 AM IST