ગુજરાત

gujarat

By

Published : Jul 26, 2020, 10:12 PM IST

ETV Bharat / bharat

રામમંદિર નિર્માણ માટે દિલ્હીના 11 મંદિરોની માટી અયોધ્યા મોકલવામાં આવી

આગામી 5 ઑગસ્ટે અયોધ્યામાં રામજન્મભૂમિનો પાયો નાખવામાં આવશે. જેના માટે દેશભરની પવિત્ર નદીઓના જળ, પવિત્ર ધાર્મિક સ્થાનોની માટી મોકલવાનું કામ ચાલી રહ્યું છે. રાજધાની દિલ્હીના કુલ 11 ધાર્મિક સંસ્થાનોની માટી અયોધ્યા મોકલવામાં આવી છે જેમાં કાલકાજી મંદિર પણ સમાવિષ્ટ છે.

 રામમંદિર નિર્માણ માટે દિલ્હીના 11 મંદિરોની માટી અયોધ્યા મોકલવામાં આવી
રામમંદિર નિર્માણ માટે દિલ્હીના 11 મંદિરોની માટી અયોધ્યા મોકલવામાં આવી

નવી દિલ્હીઃ આખરે લાંબા સમય બાદ રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 5 ઑગસ્ટે રામમંદિરનો પાયો નાખવામાં આવશે. આ મામલે ઇટીવી ભારતે અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ અને કાલકાજી મંદિરના મહંત સુરેન્દ્રનાથ અવધૂત મહારાજ સાથે વાતચીત કરી.

મહંત સુરેન્દ્રનાથ અવધૂતે વાતચીતમાં જણાવ્યું હતું કે કોઇપણ મંદિર નિર્માણ માટે ગૌશાળા, નદીઓ, મંદિર, જેવા પવિત્ર સ્થાનની માટી તેમજ જળ લઇ જવામાં આવે છે. રામમંદિર નિર્માણ માટે દેશભરમાંથી અલગ અલગ ધાર્મિક સ્થાનોની પવિત્ર માટી મંગાવવામાં આવી છે ત્યારે દિલ્હીના પણ 11 ધાર્મિક સંસ્થાનો જેમ કે સિદ્ધપીઠ કાલકાજી મંદિર, પાંડવ યુગનું ભૈરવ મંદિર, ચાંદની ચોકનું ગુરુદ્વારા શીશગંજ, ગૌરીશંકર મંદિર, શ્રી દિગંબર જૈન લાલ મંદિર, કનોટ પ્લેસ ખાતે આવેલું પ્રાચીન હનુમાન મંદિર તથા શિવ નવગ્રહ મંદિર, બાંગ્લા સાહિબનું કાલીમાતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભગવાન વાલ્મીકિનું મંદિર તથા ઝંડેવાલા મંદિર ની માટી લેવામાં આવી છે.

રામમંદિર નિર્માણ માટે દિલ્હીના 11 મંદિરોની માટી અયોધ્યા મોકલવામાં આવી

આ પૈકી કાલકાજી મંદિર દેશભરના સિદ્ધપીઠ મંદિરોમાં સામેલ છે. અહીં દેવતાઓએ માતા ભગવતીની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કર્યા હતા. અને માતાજીએ તેમને વરદાન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ સાચા મનથી તેમની ભક્તિ કરશે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. આમ આ મંદિરનું ઘણું ધાર્મિક મહત્વ છે જેથી રામમંદિર નિર્માણમાં તેની માટી લેવામાં આવી છે.

આ સાથે જ મંદિર નિર્માણ માટે 5 ઑગસ્ટના મુહૂર્ત અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું, આ અત્યંત શુભ મુહૂર્ત છે . કારણકે આ અભિજિત મુહૂર્ત છે જેમાં ભગવાન શ્રીરામે રામેશ્વરમ મંદિરની સ્થાપના કરી હતી અને રાવણ સામેના યુદ્ધમાં વિજયના આશીર્વાદ મેળવ્યા હતા. આથી આ મુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનો પાયો નાખવા જઇ રહ્યા છે જે અતિ ઉત્તમ છે.

ABOUT THE AUTHOR

...view details