ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલો: આ રીતે આંતકવાદીઓએ અંજામ આપ્યો હુમલાને...

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગત રોજ આતંકવાદીઓએ તેમના નાપાક હરકતમાં સફળ રહ્યા છે. પુલવામામાં આતંકવાદીઓએ IED પર હુમલો કર્યો. જેમા દેશનાં 42 જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે.

By

Published : Feb 15, 2019, 5:18 PM IST

attack

તમને જણાવી દઇએ કે, પુલવામાના આત્મઘાતી હુમલામાં જે ફિડિયન કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 200 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થો હતા. આ હુમલો 3:37 મિનટે જમ્મુ-કશ્મીરનાં પુલવાના અવંતીપુરમાં થયો હતો. જ્યારે CRPFનાં જવાનોની 54વી બટાલિયન અંદાજીત 3:30 વાગ્યે લાતૂ રસ્તા પરથી પસાર થઇ રહી હતી. CRPFના જવાનો શ્રીનગરથી પુલવા જઇ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, વિસ્ફોટકોથી ભરેલી ગાડી જવાનોની બસ સાથે અથડાય હતી. જેનાથી વિસ્ફોટ થયો અને તેનો અવાજ અંદાજીત 5 કિલોમીટર દૂર સાંભળ્યો હતો. આ બનાવ પછી જમ્મુ-શ્રીનગર હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

આંતકવાદીઓએ નાપાક હરકત કર્યા પછી, જૈશ-એ-મોહમ્મદે આતંકવાદી હુમલાની જવાબદારી લીધી. ત્યાર પછી આતંકવાદી આદિલ અહમદની તસવીરન રજૂ કરી હતી. આ ફોટામાં જૈશ-એ-મોહમ્મદ લખેલુ છે.

હુમલા વિશે વાત કરતા CRPFનાં આઇજીએ કહ્યુ હતુ કે,આ આતંકી હમલો છે અને તેની પુષ્ટિ થઈ રહી છે. આ હુમલામાં સૈનિકોની મૃત્યુ ઉપરાંત CRPFની ગાડીઓને પણ ઘણુ નુકસાન થયું છે. જો કે, ગુપ્ત એજન્સીઓએ 7 દિવસ અગાઉ ચેતવણી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details