ગુજરાત

gujarat

સ્ટાયરિન ગેસ લિકેજ પ્રભાવને તટસ્થ કરવા PTBCનું કેમિકલ વિશાખાપટ્ટનમ પહોંચાડાયું

By

Published : May 8, 2020, 8:22 AM IST

સ્ટાસ્ટાયરિન ગેસ લિકેજની અસરને સ્થિર કરવા માટે રાસાયણિક પેરા-ટર્ટેરી બ્યુટિલ કેટેકોલ (PTBC) ગુરુવારે રાત્રે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા.

PTBC
PTBC

વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ): સ્ટાયરિન ગેસ લિકેજની અસરને સ્થિર કરવા માટે રાસાયણિક પેરા-ટર્ટેરી બ્યુટિલ કેટેકોલ (PTBC) ગુરુવારે રાત્રે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા.

"એર ઈન્ડિયાની કાર્ગો ફ્લાઇટ PTBC કેમિકલ સાથે વિશાખાપટ્ટનમ વિમાનમથક પર આવી હતી. ગુરુવારે રાત્રે સાડા દસ વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા 9 સભ્યોની ટીમ કેમિકલ સાથે અહીં પહોંચી હતી.

આ કેમિકલ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ ગેસ લિકની અસરને તટસ્થ કરવા અને ફેલાવાને સમાવવા માટે થાય છે.

સ્ટાયરિન ગેસ લિકેજ પ્રભાવને તટસ્થ કરવા PTBCનું કેમિકલ વિશાખાપટ્ટનમ પહોંચાડાયું

અગાઉ ગુરુવારે સ્ટાઇરેન ગેસ ગળતરની ઘટના બાદ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ ગુજરાતના સીએમ વિજય રૂપાણીને PTBC કેમિકલ માટે કેમીકલની અસરને નિયંત્રણમાં રાખવા વિનંતી કરી હતી.

નોંધનીય છે કે,વિશાખાપટ્ટનમ જિલ્લાના આરઆર વેંકટપુરમ ગામમાં એલજી પોલિમરના ગેસ પ્લાન્ટમાં સ્ટીયરીન ગેસ ગુરુવારે સવારે ફાટી નીકળ્યો હતો. જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details